________________
(૧) પહેલી વાત એ છે, કે એ ત્રણેય જે નવકાર શ્રવણમાં એકતાન ' '' થયા, એણે એમના પરિણામ કોમળ બનાવ્યા. (૨) બીજી વાત એ,
કે સાથે પોતે પોતાને બાળી નાખનાર તાપસ પ્રત્યે હેજ પણ રોષ ન રાખ્યો, એ એનાં કોમળ શુભ પરિણામનું સૂચક છે. એવું જ સમડીએ પોતે બાણથી પોતાને ભેદી નાખનાર શિકારી પ્રત્યે રોષ ન રાખ્યો, તેમજ બળદને મરણાંત પીડામાં ત્યાં રસ્તેથી પસાર થતા સેંકડો માણસોમાંથી કોઇને પણ જે બળદને જરાક આશ્વાસન આપવાની ય પરવા જ ન્હોતા કરતા, એમના પ્રત્યે રોષનો પરિણામ ન થયો, અને આ બધા નવકાર મંત્ર સાંભળવામાં એકતાન બની ગયા, એ એમનો મહાનું ધર્મ હતો. - અંતકાળે બીજા પ્રત્યે રોષ વગેરે ટાળીને નવકાર મંત્રમાં એકતાન થવું, એ એક અદ્ભુત ધર્મ-સાધના છે! જે તિર્યંચ જેવાને ય મનુષ્ય અવતાર અને આગળ વધીને દેવ અવતાર અપાવે છે!
સમડી અને બળદને સાપની જેમ જ એ જ નવકાર સાંભળવા મળેલો. એમાં સમડીને સાધુમહારાજના મુખે તથા બળદને શ્રાવકનાં મુખે
નવકાર બોલાતો સાંભળવા મળેલો, છતાં કેમ એમને મનુષ્ય અવતાર? જ્યારે સાપને તો પાર્થકુમારના નોકર માણસનાં મુખે બોલાતો નવકાર સાંભળવા મળેલો, છતાં એને દેવનો અવતાર કેમ? સાપને અંતકાળે નવકાર-શ્રવણ ઉપરાંત એવી તે શી વિશેષતા મળેલી જે એને ઇન્દ્રનો અવતાર આપે?
અહીં વિશેષતામાં બે કારણ છે. (૧) એક તો નવકાર ગમે તેનાં મુખે સાંભળવા મળે પરંતુ પોતાની નવકારના અક્ષર પર શ્રદ્ધા
કેટલા પ્રમાણમાં છે, એના પર ફળનો મોટો આધાર છે. શ્રદ્ધા કહેવાથી, એ એક જ સ્વરૂપની નથી હોતી, પણ એની સાથે ભક્તિ-બહુમાનસંવેગ કેટલા પ્રમાણમાં છે, એનાં પર શ્રદ્ધાની ટકાવારી, શ્રદ્ધાની તરમતા મપાય છે. તો અહીં સાપને વિશેષતામાં એક કારણ તો આ કે સંભવ છે કે સાપને ઊંચી કોટિની શ્રદ્ધા થઇ ગઇ હોય ! એવી સમડી અને બળદને ન થઇ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org