SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલ-વહેલું સમ્યક્ત્વ પામે ત્યારે જીવને અપૂર્વ આનંદ થાય છે. ‘અપૂર્વ’ એટલે પૂર્વે કદી નહીં અનુભવેલ. તો શું ૭મી નરકના ત્રાસમાંથી છૂટે ત્યારે એવો ભરપૂર આનંદ ન થયો હોય ? અથવા કોઇ તીર્થંકર ભગવાનનું કલ્યાણક થાય એ વખતે એવો આનંદ ન થયો હોય ? અહીં આનંદ આનંદમાં ફ૨ક છે. પેલા બે આનંદ પૌદ્ગલિક છે, આ સમ્યક્ત્વ-પ્રાપ્તિનો આનંદ આત્મિક આનંદ છે. નરકમાંથી છુટવાનો આનંદ એ એક જ જન્મની કેદમાંથી છૂટવાનો આનંદ છે, જ્યારે સમ્યક્ત્વનો આનંદ, અનંત જન્મની કેદમાંથી છૂટવાના વિશ્વાસનો આનંદ છે. સમ્યક્ત્વ છે. “ભવ-ચારક-પલાયન કાલઘંટા' અર્થાત્ ભવના કેદખાનામાંથી પલાયન થઇ જવાના સમયનો ઘંટ વાગવા બરાબર છે. જીવ સમ્યક્ત્વ પામ્યો એટલે જાણે ઘંટ વાગ્યો કે ‘કેદીઓ ! જાવ, અહીંથી તમારે ભાગી જવાનો સમય આવી ગયો છે.' કોઇ માણસ જનમકેદની સજા પામ્યો હોય અને મહારાણી ગર્ભવતી થઇ હોય ત્યારે કેદીને આશા બંધાય છે કે મોટા રાજપુત્રનો જનમ થશે અને કેદખાનામાંથી છુટી જવાનો ઘંટ વાગશે. એ કેદી હજી ૫-૭ મહિના પછી ય છૂટશે ત્યારે છૂટશે, પરંતુ છૂટવાનો નિશ્ચિત ભરોસો બેસવાથી અપૂર્વ આનંદ પામે છે. એવું સમ્યક્ત્વ પામનાર જીવને ભરોસે બેસે છે કે ‘આ સમ્યક્ જ્ઞાન-દર્શન-ચારિત્રથી હવે મારે અનંત અનંત કાળથી ચાલી આવેલી ભવોની કેદની પરંપરાનો અંત આવી જવાનો !’ આના ઉપ૨ એને કેમ આનંદ ન થાય ? (૧) કમઠનાં લાકડાના સાપને કયાં એવા તે ક્યા શુભ પરિણામ હતા ? છતાં એ મનુષ્ય તો શું, પણ એથી ઊંચી પુણ્યાઇવાળા ધરણેન્દ્ર દેવનો અવતાર કેમ પામ્યો ? તેમજ (૨) તીર ભોંકાયેલી શિકારી સમડી અને (૩) મરવા પડેલા બળદને પણ ક્યાં એવા શુભ પરિણામ હતા ? કે સમડી મરીને સુદર્શના રાજકુમારીનો તથા બળ મરીને ક્રમશઃ આગળ જતાં વાલિ રાજાનાં ભાઇ સુગ્રીવનો અવતાર પામ્યા ? ૮૧ ૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004962
Book TitleTarkna Tankna Shraddhanu Shilpa
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy