________________
કર્મ' નામના પાપકર્મના ઉદયના હિસાબે હાલી શકે નહિ, કંપી શકે નહિ, જેમકે પેલા સખી બનેલા યુવાન સખાને રાજાએ પોતાની રાણી સાથે દુરાચાર કરતો જોઇ સજા એવી કરી કે ‘એના જીભનાક-કાન કપાવ્યા ! આંખો ફોડાવી ! મોમાં ડુચા ભરાવ્યા. પછી એની જીવતાં જ ચામડી ઉઝરડાવી ! એના પર દંડાના જોરદાર ફટકા મરાવ્યા !' બોલો, આ સજા પામેલો જીવ કંપી શકે ? ચીસ પાડી શકે ? મોત કરતા ભયંકર ને ?’ બસ, એવું એકેન્દ્રિય જીવોને દુ:ખ,' એમ આચારાંગ શાસ્ત્ર કહે છે.
સ્થાપનાચાર્યજીના પડિલેહણના બોલમાં આચાર્યને માટે
શુદ્ધજ્ઞાનમય, શુદ્ધસ્વરૂપમય વગેરે વિશષણો છે. આચાર્ય શુદ્ધ જ્ઞાનમય-શુદ્ધ સ્વરૂપવાળા બની ગયા તો શું અત્યારથી તેઓ જીવનમુક્ત વીતરાગ સર્વજ્ઞ થઇ ગયા ? હજી તો એ કર્મોથી આવૃત્ત છદ્મસ્થ છે. વાત સાચી કે તદ્દન શુદ્ધ સ્વરૂપ તો સર્વજ્ઞ ભગવંતનું છે પણ આચાર્યને એ વીતરાગ સર્વજ્ઞતાના અર્થાત્ જીવન-સિદ્ધપણાના પોતાના સાધ્યનો નિર્ધાર છે, એટલે કે ‘મારો આત્મા તદ્દન શુદ્ધ, જ્ઞાનમય અને પછી નિત્ય આનંદમય થાય' તે સાધ્ય નિશ્ચિત છે અને એવા મુખ્ય સાધ્યના લક્ષ્ય સાથે એ માટેની સાધના એમની એવી જોરદાર છે કે દુનિયાના બીજા જીવોની અપેક્ષાએ એમનામાં શુદ્ધ જ્ઞાનદ્દષ્ટિ એટલી બધી વિકસેલી છે કે એમનું જીવન વિશુદ્ધ જ્ઞાનમય અને નિવૃત્તિના વિશુદ્ધ આનંદમય દેખાય છે.
૬૧
સિદ્ધ ભગવાનને ક્ષાયિક ભાવના વિશુદ્ધ જ્ઞાન, આનંદ છે પરંતુ આચાર્યને ક્ષયોપશમના ઘરની જ્ઞાન-દર્શન-ચારિત્ર ને વીર્યની સાધના જોરદાર હોવાથી ક્ષયોપશમ કક્ષામાં એ વિશુદ્ધ જ્ઞાન-આનંદવાળા બની ગયા કહેવાય તેમાં સર્વે સર્વા વ્યાવૃત એટલે કે પરોવાઇ ગયેલા હોવાથી ઉપચારથી વિશુદ્ધ જ્ઞાન-આનંદમય જીવન જીવનારા કહી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org