________________
હોય, તેથી આ બેને મનુષ્ય અવતાર, અને સાપને દેવ અવતાર મળ્યો.
(૨) બીજું કારણ એ છે કે સાપને નવકાર-શ્રવણ સાથે તીર્થંક૨ થના૨ ખુદ પાર્શ્વકુમારના દયા અને શમરસ ભરેલાં મુખારવિંદનું દર્શન મળ્યું ! આ દર્શન પણ એનાં શ્રદ્ધા-સંવેગ-ભક્તિ-બુમાનનાં પરિણામમાં ખૂબ જ વૃદ્ધિ કરી નાંખી ! એટલે દેવનો ય માત્ર સામાન્ય અવતાર નહીં કિન્તુ ઇન્દ્રપણાનો અવતાર મળ્યો.
આ પરથી આ શીખવા મળે છે કે તમે મરવા પડેલાને માત્ર નવકાર શ્રવણ કરાવો એટલેથી બસ નથી, પરંતુ એની સાથે એની નજર સામે જો અરિહંતનો ફોટો રાખો, ફોટાનું દર્શન યાને અરિહંતનું દર્શન કરાવતા રહો, એની મોટી વિશેષતા થાય છે. એવું જાતને માટે પણ. એવા મૃત્યુ જેવા કપરા અવસરે સામે અરિહંતના દર્શન કરતાં કરતાં નવકા૨ મંત્રને યાદ કરો, એની મોટી વિશેષતા થાય છે.
વેરાગી ખાય-પીએ-ભોગવે તો બધું, છતાં વૈરાગી શી રીતે ?
મોટી કરોડપતિ શેઠાણીને એકનો એક યુવાન પરણેલો પુત્ર અકસ્માતમાં એકાએક મરી જાય. તો પછી એ ખાતી-પીતી કે બીજાં સુખ ભોગવતી નથી ? પણ કેવા દિલે એ બધું કરે છે ? કહો, એ ખાન-પાન આદિના બધા પદાર્થ એના દિલને જાણે ખાવા ધાતા હોય ! એવા લાગે. વારે વારે દિલને એમ લાગ્યા કરે કે ‘બળ્યું' આ ખાવાનું ! ને બળ્યું આ ભોગવવાનું ! બળ્યો આ બંગલો ! ને બળી આ મોટ૨ ! મારે તો હૈયાના પ્રાણરૂપ, હાય ! મારો દીકરો ચાલી ગયો !” એવું વૈરાગીને ખાય, પીએ બધું પરંતુ જાણે એ ખાવા ધાતું હોય ! એમ લાગે. બધું ય બળ્યું લાગે ! આ બળ્યું બળ્યું લાગે એ જ વૈરાગ્ય.
..
એટલે જ આવા વૈરાગીને અવસ૨ આવતાં એ સંસારમાંથી ઊભો થઇ જતાં વાર નહિ. પછી જેમ સાપ સુંદર કાંચળીને છોડી જાય એમ એ સંસારના જડ-ચેતન પદાર્થોને દિલમાં કોઇ દુભામણ વિના આસાનીથી છોડી જાય છે.
Jain Education International
૮૩
For Private & Personal Use Only
www.jainelibrary.org