________________
પ્રભુને સાચાનું સાચું કહેવાનું જરૂ૨ કેમ પડી ?
જરૂર એટલા માટે પડી કે ભોળી જનતા ગૌશાળાના અસત્ય અને ઉન્માર્ગભાષણમાં તણાઇ જતી હતી; એવી બહોળી જનતાને બચાવી લેવા માટે પ્રભુએ સત્યનું પ્રકાશન કરવાની જરૂર હતી. આ જરૂરિયાત જો ન માનીએ તો તો પછી કયારે ય પણ ‘સત્યનું પ્રકાશન કરવામાં દુર્જનોને દુ:ખ થશે.' એમ માનીને સત્યનું સત્યમાર્ગનું પ્રકાશન જ ન થઇ શકે ! અલબત્ત સત્યનું સત્યતત્ત્વ-સત્યમાર્ગનું પ્રકાશન કરતી વખતે દુર્જનોને દુ:ખ ઉપજાવવાનો મુનિને લેશ પણ આશય નથી. તેથી મુનિમાં ત્યાં પણ સકલસત્ત્વસહિતાશય અખંડ પ્રવર્તતો રહે છે. દુર્જનો પ્રત્યે પણ દ્વેષ નહિ, દયા જ હોય છે. મહાવીર પ્રભુને ગૌશાળા પ્રત્યે લેશમાત્ર દ્વેષ ન્હોતો. જો દ્વેષ થયો હોય તો પ્રભુ પોતાની અનંત શક્તિથી પોતે, યા ભક્ત ક્રોડ દેવો પૈકી કોઇ દેવ દ્વારા ગૌશાળાને લકવો ન લગાડી દેત ? પ્રભુએ કેમ એવું ન કર્યું ? કહો, દ્વેષ ન્હોતો. છતાં ગોશાળાને રોકડું સત્ય પરખાવ્યું તે બહોળા જનસમુદાયના હિતાર્થે.
૫૯
સાધુ જીવનમાં સતત ક્રિયા અને પાંચ પ્રહરના સ્વાધ્યાયમાં જ લીન રહેવાનું હોય છે તો પછી આજ્ઞાવિચય આદિ ધર્મધ્યાનને જગ્યા કાં ? એનો ઉપયોગ કયાં ?
તે તે પ્રસંગમાં આજ્ઞાવિચય-અપાયવિચય વગેરેનો ઉપયોગ થાય જ છે. દા.ત. (૧) આજ્ઞાવિચય:- કોઇ ક્રિયા શરૂ કરવી છે, ત્યાં વિચાર આવે કે ‘અહો! કેવી ઉત્તમ જિનાજ્ઞા કે એણે આ કલ્યાણ ક્રિયાની આપણને ભેટ કરી !' આજ્ઞાનો આ એકાગ્ર વિચાર એ આજ્ઞાવિચાર ધર્મધ્યાન જ છે. ધર્મબિંદુ શાસ્ત્ર કહે છે - ‘આજ્ઞાનુસ્મૃતિ:’ અર્થાત્
સાધના-સાધનામાં જિનાજ્ઞાનું અનુસંધાન કરવું, જિનાજ્ઞાને આગળ કરીને સાધના કરવી.
‘જિનાજ્ઞા આ ફરમાવે છે માટે મારે આ કરવાનું, જેથી અનંત કલ્યાણક૨
Jain Education International
૭૮
For Private & Personal Use Only
www.jainelibrary.org