________________
દિલમાં એ ધર્મનું બીજ રોપાય, એ હિત છે.
(૫) એમાંથી આગળ જતાં, અંકુર વૃક્ષ થતાં ધર્મનો પાક ઉતરે અને
(૬) આગળ વધતાં વિશેષ અહિંસાધર્મ પ્રાપ્ત થવાથી એ ખુદ અગ્નિકાય, અપ્લાય, વનસ્પતિકાય વગેરે જીવોને પણ અભયદાન દેનારો બને, એ એનું મહાહિત છે.
આ બધું જો એની દયા કરવામાં આવે, એનું તીવ્ર ભૂખનું દુઃખ ટાળવામાં આવે તો સંભવિત છે : નહિતર તો એ ભૂખના દુ:ખની અસ્વસ્થતામાં કંઇના કંઇ પાપ બાંધી રહ્યો છે. મનથી એ અગ્નિ વગેરેના જીવોના આરંભ-સમારંભ ચિંતવી જ રહ્યો છે. તેમ ભવિષ્યમાં પણ એ જીવોને અભયદાન દેવાની ભૂમિકા ય ક્યાં છે એની પાસે ? આમ ભૂખે મરતાને ખાવા આપવું, એવી દયા એ હિતકારી દયા છે.
(૧) અલબત્ત કોઇની દયા મળવાથી, પછી તરત તો એ, જીવોના આરંભ-સમારંભમાં નથી પડવાનો એમ નહિ, છતાં એ દયાનાં આકર્ષણથી ધર્મનું બીજ પામવા યોગ્ય સ્થિતિમાં છે.
(૨) તેમજ ભૂખના દુ:ખને લીધે થતી વિશેષ મૂઢતા ભૂખ મટવાથી ઓછી થાય છે.
દયાધર્મ જ જો ન હોય તો આ બે મહાન હિત ક્યાંથી સાધવાના હતા? માટે કહો, આ દયા એ ધર્મબીજનું આરોપણ અને મૂઢતાની ઓછાશ કરનારી છે. બાકી સ્થાવરકાય.જીવોની હિંસામાં તો એ પડેલી જ છે. છતાં આ દયાથી કોઇ દિ' એ ઊંચો આવી સ્થાવરકાય જીવોને અભયદાન આપનારો બનશે.
ત્યારે દયા ન કરનારને ગેરલાભ જુઓ કે જો ભુખ્યા તરફ એ દયાદ્રિ નથી બનતો, એ એનું પોતાનું હૃદય કઠોર થાય છે. “મારે શું ? એના કર્મે દુ:ખી છે,” એમ દુ:ખમાં પીડાતા જીવ પ્રત્યે નિષ્ફર બને છે. હૃદયની નિષ્ફરતા એ બીજા પણ ગુણો પ્રગટવા સામે કઠોર ભૂમિ છે. એમાં ગુણનો પાક શી રીતે થાય ?
ગુણના પાક માટે હૃદયની કોમળતા જરૂરી છે અને કોમળતા દયાધર્મથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org