________________
ઘડાય છે. કોમળ હૃદય એ તો એક રસાળ મુલાયમ ભૂમિ છે, કે જેમાં ધર્મગુણ-બીજનાં વાવેતરથી ધર્મ-ગુણનો પાક થઇ શકે. એટલે દયા કરનારની દૃષ્ટિએ પણ જોતાં આ કોમળતા સર્જાય, એ એનું હિત છે, માટે દયા એને ય હિતકારી છે. આમ દયા ઉભયને હિતકારી બને છે.
ભૂખની જેમ સાચો કામાગ્નિથી પીડાતો હોય અને કુશીલની માગણી કરતો હોય તો એ સંતોષવામાં દયા ન ગણાય? અહીં મોટો તફાવત છે. (૧) ભોજન એ જીવન-નિર્વાહની વસ્તુ છે. ત્યારે કુશીલ-સેવન એ
કાંઇ જીવન-નિર્વાહની વસ્તુ નથી. (૨) ઊર્દુ એ પોષવામાં જુગજુગના કુશીલના પરિણામ દ્દઢ થવાથી એ વધારે નિષ્ફર બને છે.
(૩) વળી-કુશીલ-સેવનથી નરકાદિનાં ભયંકર દુ:ખની ભૂમિકા સર્જાય છે, ઘોર પાપ-કર્મ બાંધે છે.
(૪) કુશીલતા દૃઢ થયેલ સંસ્કાર, ભવિષ્યમાં મહાપાપિષ્ઠ બનાવે છે.
(૫) ત્યારે કુશીલ પોષનારની પણ એ સ્થિતિ થાય છે. એને કુશીલ જેવા ઘોર કુકર્મની સૂગ ઉડી જાય છે, હૈયું નિષ્કર બને છે. આમ જ્યાં પોતાની કલ હોય ત્યાં પ૨દયા શી ?
આ બન્નેની દ્રષ્ટિએ મહા અહિત સર્જાય એવી કુશીલ-પોષણની દયા એકાંતે અહિતકારી જ ગણાય.
| | એક શાસ્ત્રીય કથાનકમાં ચાર ભાણેજ મુનિઓ મામા મહારાજને || મળવા દૂરથી આવે છે. ત્યારે ગામની બહાર તો ચાર મુનિઓ મામા
મહારાજના ગુણોની વિહારમાં અનુમોદના તો કરતા હશે અને વંદનાની ઝંખના ય કરતા હશે તો કેમ રસ્તામાં કેવળજ્ઞાન નહિ? ને અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org