SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ઘડાય છે. કોમળ હૃદય એ તો એક રસાળ મુલાયમ ભૂમિ છે, કે જેમાં ધર્મગુણ-બીજનાં વાવેતરથી ધર્મ-ગુણનો પાક થઇ શકે. એટલે દયા કરનારની દૃષ્ટિએ પણ જોતાં આ કોમળતા સર્જાય, એ એનું હિત છે, માટે દયા એને ય હિતકારી છે. આમ દયા ઉભયને હિતકારી બને છે. ભૂખની જેમ સાચો કામાગ્નિથી પીડાતો હોય અને કુશીલની માગણી કરતો હોય તો એ સંતોષવામાં દયા ન ગણાય? અહીં મોટો તફાવત છે. (૧) ભોજન એ જીવન-નિર્વાહની વસ્તુ છે. ત્યારે કુશીલ-સેવન એ કાંઇ જીવન-નિર્વાહની વસ્તુ નથી. (૨) ઊર્દુ એ પોષવામાં જુગજુગના કુશીલના પરિણામ દ્દઢ થવાથી એ વધારે નિષ્ફર બને છે. (૩) વળી-કુશીલ-સેવનથી નરકાદિનાં ભયંકર દુ:ખની ભૂમિકા સર્જાય છે, ઘોર પાપ-કર્મ બાંધે છે. (૪) કુશીલતા દૃઢ થયેલ સંસ્કાર, ભવિષ્યમાં મહાપાપિષ્ઠ બનાવે છે. (૫) ત્યારે કુશીલ પોષનારની પણ એ સ્થિતિ થાય છે. એને કુશીલ જેવા ઘોર કુકર્મની સૂગ ઉડી જાય છે, હૈયું નિષ્કર બને છે. આમ જ્યાં પોતાની કલ હોય ત્યાં પ૨દયા શી ? આ બન્નેની દ્રષ્ટિએ મહા અહિત સર્જાય એવી કુશીલ-પોષણની દયા એકાંતે અહિતકારી જ ગણાય. | | એક શાસ્ત્રીય કથાનકમાં ચાર ભાણેજ મુનિઓ મામા મહારાજને || મળવા દૂરથી આવે છે. ત્યારે ગામની બહાર તો ચાર મુનિઓ મામા મહારાજના ગુણોની વિહારમાં અનુમોદના તો કરતા હશે અને વંદનાની ઝંખના ય કરતા હશે તો કેમ રસ્તામાં કેવળજ્ઞાન નહિ? ને અહીં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004962
Book TitleTarkna Tankna Shraddhanu Shilpa
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy