________________
ભગવાનની દયા ચિંતવવાની સાધના શરૂ થઇ.”
ભગવાન તો વીતરાગ છે એટલે એમને કશી જરૂર નહિ હોવાથી એમની ભક્તિ શી કરવી? સ્વામિભક્તિ શું ચીજ છે? અહીં પહેલી વાત તો આ છે કે શું ભકિત (૧) સામાની જરૂરિયાત
પોષવાની ક્રિયા છે ? કે (૨) આપણા દિલમાં એમને સ્વામી માની એમની પ્રત્યે કૃતજ્ઞતા અને ગુણાનુરાગ અદા કરવા માટે ભોગ આપવાની ક્રિયા છે ? માબાપની માત્ર જરૂરિયાત પોષવાનું જ સમજનારાના હાલ જુઓ કે માબાપને કેવી દયામણી સ્થિતિમાં રાખે છે અને જાતના કેવાં ભપકાદાર મોજ-શોખ વગેરેના આલીશાન ખર્ચ નભાવાય છે ? જરૂરીયાત પોષવાની બુદ્ધિમાં તો જાણે દયાદાન કરવાનો ભાવ રહે છે ! ત્યારે,
ઉપકારીના ઉપકારનો યત્કિંચિત્ પણ બદલો વાળવાની અને ગુણરાગથી વિશેષ પૂજા-ભક્તિ કરવાની બુદ્ધિમાં પોતાનાં કર્તવ્યપાલન અને સુકૃત-આરાધનનો ભાવ રહે છે. આ પેલા કરતાં ઘણો ઊંચો અને નિમક હલાલીભર્યો ભાવ છે. ભગવાનના આપણા પર અનુપમ અગણિત ઉપકારનો ખ્યાલ હોય તે ઉપરાંત એમનાં અનંતગુણોનો રાગ હોય તો એમની જરૂરિયાત ન જોવાય, એમને કાંઇ જોઇએ કે નહિ એ ન વિચારાય, પરંતુ “મારૂં શું કર્તવ્ય છે ? મારે સ્વામિની પૂજા-ભક્તિનું અતિ આવશ્યક સુકુત શું? એ વિચારી મારે એ સેવ્યા વિના ચાલે જ નહિ.”આજ ભાવ મનમાં રહ્યા કરે.
૪૯
દરદની વેદના સહન ન થતી હોય તો મૃત્યુની ઇચ્છા કરાય? દરદથી છુટીએ તો મહા આર્તધ્યાનના પાપથી બચીએ ને ? તે શું તમને ખબર છે ? નિર્ણય છે કે મર્યા પછી આવી, કે આથી ય ભયંકર સ્થિતિ, ભયંકર વેદના નહિ આવે ? અને એવું બને ત્યારે જીવ તો આનો જ ને? વેદનાથી કાયર બની આર્તધ્યાન કરનારો જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org