________________
કરે છે !'
એમ વીતરાગ પ્રભુના દર્શન-વંદન-પૂજન-સ્મરણથી ભક્તને બહુ આનંદ-આનંદ થાય એમાં વડાઇ પોતાની નહિ પણ દેવાધિદેવની માને એમાં શું ખોટું છે ? અરિહંતોની આ વડાઇ એ જ એમની કૃપા. એટલે હવે સમજાશે કે આપણા દિલમાં અરિહંતની જેટલી ઊંચી વડાઇ માનીએ, જેટલું ઊંચું સ્થાન આપીએ એટલા પ્રમાણમાં એમની આપણા પર કૃપા થઇ ગણાય. આ જ હિસાબે કહેવાય કે દેવ-ગુરૂની કૃપા દેવગુરૂમાંથી નહિ કિન્તુ આપણા દિલમાંથી ઊઠે છે. કેમકે આપણા દિલમાં એમને આપણે જેટલું ઊંચું સ્થાન આપીએ, એમનું જેટલું ઊંચું મૂલ્યાંકન આપણે કરીએ, એટલી એમની આપણા પર કૃપા થઇ અને ઉચ્ચ ફળ મળે છે.
૪૭
જ્યારે સંગમ ઉપસર્ગ કરતો હતો ત્યારે ભગવાને તેના પર કરૂણા કેમ ન ચિંતવી ? ને તેના જવા વખતે કેમ ચિંતવી ?
પહેલાં ભગવાન ઉપસર્ગ-પરિષહ સહન કરવાની સાધના કરી રહ્યા હતા એટલે એ સાધનામાં તો ખૂબ સમતાથી સહન કરવાનું છે, તેથી એમાં મનને કડક ને કઠિન બનાવવું પડે. ત્યાં દયાની કૂણી લાગણી કેમ લવાય ? બીજાની દયાનો વિચાર કરવા જાય તો પોતાને કષ્ટ વેઠવાની સાધનામાં મન શી રીતે કડક રહે ? દા.ત. ભગવાન અનાર્યદેશનાં કઠિન ઉપસર્ગો, પરિષહો સહવા માટે ગયા. ત્યાં જો પ્રભુએ એવો વિચાર કર્યો હતો કે ‘હું અનાર્યદેશમાં જઇશ તો એ બિચારા અનાર્યો મને કનડી પાપ બાંધશે ! તો તો આ દયાના વિચારથી ત્યાં જવાની માંડવાળ જ કરવી પડત ! પછી પોતાનાં કઠણ કર્મ શી રીતે ખપાવવા ? વાસ્તવમાં પોતાના કષ્ટસહન અને કર્મનિર્જરા ઉપર જ ધ્યાન રહે ત્યાં સામા જીવની દયા પર મન ન લઇ જવાય. પછી એવો વિચાર કે વિકલ્પ ભગવાનને શેનો હોય કે ‘આ મારી કાયાને કેટલું બધું કષ્ટ ! મને કષ્ટ આપીને આ બિચારા સંગમનું શું થશે ? વગેરે ઉપસર્ગ સહતી વખતે એવો એક પણ વિચાર ન હતો પણ સંગમ હવે જાય છે, તો ઉપસર્ગ સહન ક૨વાની સાધના સમાપ્ત થઇ એટલે હવે
Jain Education International
૬૯
For Private & Personal Use Only
www.jainelibrary.org