________________
પરમાત્માનો ગણાય, એ જ પ્રભુની કૃપા થઇ કહેવાય.
દેવાધિદેવ ૫૨ બહુમાન ભલે આપણે ધરીએ કિન્તુ એમાં વડાઇ આપણી નહિ પણ એ આલંબનભૂત દેવાધિદેવની છે. આ વાત ચાલુ વ્યવહા૨માં સારી રીતે સમજાય છે. દા.ત. માંદો કે અશક્ત માણસ કોઇના હાથના ટેકે ગિરિરાજ ચડી જાય તો એમાં એ વડાઇ પોતાની નહિ કિન્તુ એ ટેકો (આલંબન) આપનાર માણસની માને છે. સમજે છે કે જો આમનો ટેકો ન મળ્યો હોત તો મારાથી કાંઇ ચડી શકાત નહિ.
માતાને જોઇ-જોઇ બચ્ચું રાજી થાય છે, એમાં રાજીપો તો ભલે બચ્ચું પોતે ઊભો કરે છે પરંતુ એ રાજીપામાં કારણભૂત માતા મનાય છે, બચ્ચું નહિ, કેમકે એ બચ્ચું પોતાના દિલમાં રાજીપો ઊભો ક૨વા તો ગમે તેટલું તૈયાર હોય, પરંતુ દર્શન જો માતાને બદલે કોઇ બીજી બાઇનું મળે તો એવો રાજીપો ઊઠે જ નહિ. દર્શન માતાનું મળે તો જ બચ્ચાને પ્રેમ-બહુમાન-રાજીપો ઉચ્ચ કોટિનો થાય છે, માટે પ્રેમ-બહુમાન-રાજીપામાં મુખ્ય કારણ તરીકે બચ્ચું પોતે નહિ કિન્તુ માતા જ ગણાય છે.
જ
બસ, એ રીતે આપણને દેવ-ગુરૂ ૫૨ ઊંચું બહુમાન થાય એમાં મહત્ત્વનું કારણ આપણે નહિ પણ દેવ-ગુરૂ છે. અર્થાત્ ઉચ્ચ પ્રેમ-બહુમાન ઊભું થવામાં વડાઇ આપણી નહિ પરંતુ દેવાધિદેવ વીતરાગ ભગવાનની છે અને એટલે જ કહેવાય કે એટલી આપણા પર વીતરાગ ભગવાનની કૃપા થઇ. એટલે આ આવ્યું કે બહુમાન ભલે આપણે ધર્યું પરંતુ એમાં કૃપા-કરૂણા અરિહંતની થઇ ગણાય, ઉપકાર અરિહંતનો થયો ગણાય.
જો કામી માણસ પોતાની પ્રાણપ્યારી પ્રિયાને જોઇ-જોઇ રાજી થતો હોય છે અને જો કે દર્શન અને રાજીપો તો પોતે જ પોતાના દિલમાં ઊભો કરે છે છતાં પણ એમાં ઉપકાર એ પ્રિયાનો માને છે અને કહે છે કે “મને તારા દર્શનથી બહુ આનંદ થાય છે. આમ આનંદ-આનંદ થવામાં તારો બહુ ઉપકાર છે. તું દર્શન આપવામાં મારા પર બહુ ઉપકાર કરે છે.” ખૂબી જુઓ, પેલી સામે ચાલીને ભલે નહિ આવી હોય પણ પોતે જ એની સામે ચાલીને ગયો હશે છતાંય કહેશે ‘તું મળે છે ને મને આનંદ આપી મારા પર કેટલો બધો ઉપકાર
Jain Education International
૬૮
For Private & Personal Use Only
www.jainelibrary.org