________________
અહીં પ્રશ્ન થાય,
પ્રશ્ન:- શું માર્ગ શોધવામાં ભાવલબ્ધિની જરૂર નથી ?
ઉત્તર:- જરૂ૨ છે, પરંતુ માર્ગ શોધવામાં જેમ વર્તમાન કાળે લભ્ય ગુર્વાદિ સામગ્રી કામ આવે તેમ અરિહંતની કરૂણા પણ વર્તમાનકાળે લભ્ય એક સામગ્રી છે તેથી કાળલબ્ધિમાં વર્તમાનકાળે લભ્ય સામગ્રીમાંની એ કરૂણા પણ એક વસ્તુ છે, એટલે અરિહંતકરૂણા કાળલબ્ધિમાં જ અન્તર્ગત છે. ત્યારે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજને પ્રભુ પાસેથી સેવાનું ફળ જોઇએ છે ને તે અરિહંતની કરૂણાનો આધાર રાખ્યા વિના એકલી બીજા ત્યાગ-તપશાસ્ત્રાધ્યયન વગેરે કાળલબ્ધિથી મળે એમ નથી, એ તો મુખ્યતયા અરિહંતની કૃપાથી જ એટલે કે ભાવલબ્ધિથી મળે એમ છે. માટે કવિએ ભાવલબ્ધિ માગી.
૪૫
ત્યાગમાં તો છોડવાનું છે. ત્યાં અનંતકાળના વિષયભોગના સુખના ટેવાયેલા જીવને સુખ શું ?
આના જવાબમાં સમજી રાખો કે –
ભોગ કરતાં ત્યાગમાં સુખ એટલા માટે કે ઇન્દ્રિયોની સુખશાતા કરતાં મનની શાતા કેઇ ગુણ ઊંચી છે.
મન જો અશાતામાં હોય, કશી ચિંતામાં-શોકમાં હોય તો ઇન્દ્રિયોને શાતાકારી સારા વિષયસંપર્ક મળવા છતાં પણ જીવને ચેન નથી પડતું, સુખ નથી લાગતું, એવું દુનિયામાં ઘણું જોવા મળે છે.
શિખંડ-પૂરીના ભોજન પર બેઠા હો ને એ જ વખતે પરગામથી દીકરાને ડબલ ન્યુમોનિયા લાગ્યાનો તાર આવે તો શિખંડના સુખ રહે ? કે સુકાઇ જાય ?
માનો કે શેઠ શેઠાણીને બંગલો છે, મોટર છે, પાસે કેશ (રોકડા) લાખો રૂપિયા છે પરંતુ જો જુવાનજોધ સારો હોંશિયાર વિનયી દિકરો ત્રણ દિવસના તાવમાં ઊપડી ગયો તો હવે એ બધું અકારૂં લાગે છે.
Jain Education International
૬૪
For Private & Personal Use Only
www.jainelibrary.org