________________
અર્થ ? તેનો ઉત્તર એ કે
વીતરાગ અરિહંત ભગવાન જે કરૂણા કરે છે એવી કરૂણા બીજા કોઇ કરી શકતા નથી. એમની કરૂણા એ એમના પ્રભાવ સ્વરૂપ છે, એમનો ઉપકાર છે. એ પ્રભાવ એ રીતે કે તમે અરિહંતને દિલમાં લાવો, અને એમના દર્શનવંદન, પૂજા-ભક્તિ, સ્તુતિ-પ્રાર્થના, સ્મરણ-ધ્યાન.... વગેરે કરો તો તમને અચિંત્ય ફળ મળે છે. એ દર્શન-વંદન-સ્મરણાદિ અરિહંતને છોડીને બીજાનાં કરો તો એ ફળ ન મળે, કેમકે અરિહંતનો જ અચિંત્ય પ્રભાવ છે.
શ્રી માનતુંગસૂરિજી મહારાજે “ભકતામર સ્તોત્રથી અરિહંતની સ્તુતિ કરી તો રાજાએ એમના પગમાં નાંખેલી ૪૪ બેડીઓ તૂટી ગઈ ! શ્રીપાળકુમારને ધવલશેઠે પ્રપંચથી દરિયામાં પાડયા, ત્યાં શ્રીપાલે અરિહંતાદિ નવપદનું સ્મરણ કર્યું ને દરિયામાં મગરમચ્છ પોતાની પીઠ પર એમને ઝીલી લઇ થાણા બંદરે મૂકી દીધા ! શ્રીમતીએ નમો અરિહંતાણં કહી અર્થાત્ અરિહંતને નમસ્કાર કરી કપટી પતિના આદેશ મુજબ ઘડામાં હાથ નાંખ્યો તો હાથમાં સાપને બદલે ફુલની માળા આવી. પાકિસ્તાની ખૂનરેજી વખતે કલકત્તામાં એક માળામાં મુસ્લિમો ખૂનરેજી કરી સામેના જૈનોના માળા પર તવાઇ લઇ ગયા. પરંતુ જૈનોએ અરિહંત નમસ્કારવાળા નવકારમંત્રની ગદ્ગતાથી રટણા કરી તો તરતમાં મિલિટરી લોરી આવી ને સૌ ઉગરી ગયા! અરિહંતના સ્મરણ-નમસ્કારથી જો આ બધે અદ્ભુત ફળ આવ્યા તો શું એમાં અરિહંતનો પ્રભાવ નહિ ? આને અરિહંતનો પ્રભાવ કહો, ઉપકાર કહો, કરૂણા કહો, એક ચીજ છે.
અહીં કવિ યશોવિજયજી મ. સેવાના ફળમાં પ્રભુની આ કરૂણા યાચી રહ્યા છે. એ ભાવલબ્ધિ છે અને બીજી વ્રત-નિયમ-શાસ્ત્રસ્વાધ્યાય એ બધી કાળલબ્ધિ છે. એકલી કાળલબ્ધિથી કાર્ય ન સીઝ, ભાવલબ્ધિ જોઇએ.
ત્યારે આનંદઘનજી મહારાજને પ્રભુનો માર્ગ શોધવો છે કે પ્રભુ કયા માર્ગ મોક્ષે ગયા?તે માર્ગ ચર્મચક્ષુથી ન દેખાય, અંધ પરંપરાથી, તર્કવાદથી ન જડે, પરંતુ સદ્ગુરૂ-શાસ્ત્રો તીર્થો-ધર્મારાધના વગેરેથી જડે અને એ બધી પ્રાપ્તિ કાળલબ્ધિ કહેવાય. તેથી એમણે કહ્યું “ કાળલબ્ધિ લડી પંથ નિહાલશું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org