________________
અલબત્ત બંગલો રહેવાનો, છોડી નથી દેવાતો, બંગલામાં રહેવું પડે છે. મોટ૨ કાઢી નથી નખાતી, મોટરમાં બેસીને ફરવું પડે છે. એમ સ્વચ્છ પહેરવેશ, ફર્નિચર, નોકરો, ઉમદા ભોજન... બધું ભોગવાય છે. અરે ! વિષયસુખ પણ ભોગવાય છે. અરે ! છતાં ક્યાંય દિલને શાતા છે ? ચેન છે ? મઝા આવે છે ? ના, કશું જ નહિ, ત્યાં તો વ્હાલો ડાહ્યો હોંશિયાર છોકરો યાદ આવી આવીને દિલ સળગી રહ્યું હોય છે. ત્યાં આ ઇન્દ્રિયોના બહારના સુખ ગોઝારા લાગે છે. શું થયું આ ? ઇન્દ્રિયોને શું સારા વિષયોથી શાતા નથી મળતી ? મળે છે પણ એને શું કરવાની ? મનની અશાતા મોટી છે.
કોઇ ભારે ચિંતા-શોક-ઉદ્વેગની માનસિક અશાતા હોય ત્યાં બાહ્ય વિષયોથી ઇન્દ્રિયોને થતી શાતાની કિંમત નથી લાગતી.
એની ઊલ્ટું કોઇ વાતની માનસિક શાતા ભરપૂર હોય ત્યાં ઇન્દ્રિયોની અશાતાની કિંમત નથી લાગતી.
મન મોટી ચીજ છે. એ જો અશાતામાં-ઉદ્વેગમાં હોય તો એ જાણે વિષયોને ચેલેન્જ કરે છે કે ‘તમે ગમે તેવા ઇન્દ્રિય સુખકારી આવોને, પણ જો જીવને ચેન પડવાં દઉં, શાતા લાગવા દઉં, તો મારું નામ કાઢી નાંખજો.' મતલબ મન અશાતામાં છે તો બાહ્ય વિષયોથી જીવને ચેન ન પડે. ત્યારે મનની શાતા ચેલેન્જ કરે અને એમ ઇન્દ્રિયોની શાતા મનને ચેલેન્જ નથી કરી શકતી કે ‘અમે બેઠા, મન ! તું ગમે તેવા ઉદ્વેગમાં પડે છતાં હું જીવને ચેનમાં રાખું ! ના, ઇન્દ્રિયોની મન પર જોહુકમી નહિ. દેખાય જ છે કે કોઇકે ગોઠવેલું સારામાં સારૂં જમણ જમતાં જીભને ભારે શાતા છે પરંતુ એ જ વખતે કોઇ કાંઇક અપમાનનું બોલી નાંખે તો પેલી શાતા ઊભી છતાં જીવનું ચેન ઊડી જાય છે. જીવ આકુળવ્યાકુળ બની જાય છે. કેમ ? મન ઉદ્વેગમાં પડયું, અશાતામાં પડયું’
મનની શાતા-અશાતાની કિંમત મોટી.
માટે જ મનને જો શાતા, તો ઇન્દ્રિયોની અશાતાની કિંમત નહિ. સંતોષી ગરીબને જાતમહેનતનો સ્વતંત્ર અને અતિ અલ્પ પાપનો ધંધો જો મનને શાતા આપે છે તો ઓછી આવકમાં ઇન્દ્રિયોને પડતી બીજી અગવડ (અશાતા) થી
Jain Education International
૬૫
For Private & Personal Use Only
www.jainelibrary.org