SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુજીવનમાં જ મોહની સામે લડી લેવાય ને અટકે એવી અનુકૂળતા ત્યાં છે. ‘કાયા પુખ્ત ઉંમરમાં આવે એટલે પછી તો એ કામનો ભાવ જાગે જ ને ? એ તો સહજ ભાવ છે. એ ભાવ પોષવામાં અજુગતું શું છે ? આખી દુનિયા એ કરે જ છે.' ૪૩ • પરંતુ આ વિચારણા ખોટી છે કેમકે એ કેવળ સંસા૨દ્દષ્ટિની જ વિચારસરણી છે. એની પાછળ એવું મનાઇ બેઠું છે કે જનમવું, વાસનાઓ પોષવી અને આયુષ્ય પૂરું થયે મરી જવું, એ જ જે કાંઇ છે તે છે.’ વિચારો, ‘દુનિયા આખી વાસના પોષે છે અને વાસના સહજ હોવાથી એ પોષવામાં કશું અજુગતું નથી', આ હિસાબ માંડી મૂક્યો હોય એની પાછળ દ્દષ્ટિ કેવી હોય ? માત્ર શરીરનાં સુખો જ જોવાની કે બીજી કોઇ ? માત્ર શરીરસુખ જોવા ૫૨ કામસેવનમાં કશું અજુગતું લાગતું નથી. પરંતુ એ સમજવા જેવું છે કે માનવદેહે સુખ-સન્માન એ માનવદેહની વિટંબણા છે, એના ૩ કારણ : (૧) દેહને સુખ-સન્માનમાં આત્માનું ભાન ભૂલાય છે. (૨) એ સુખ-સન્માનમાં દુશ્મન કર્મના દયાપાત્ર બનવું પડે છે. (૩) એના મોજથી ભોગવટામાં જાલિમ વાસનારોગ વધે છે. ૪૪ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે શ્રી સંભવનાથ ભગવાનના સ્તવનમાં ગાયું,” ‘કાળલબ્ધિ મુજ મત ગણો.” અર્થાત્ ‘પ્રભુ તમે પોતે તમારા અખૂટ ખજાનામાંથી કાંઇક દેવાને બદલે મારી કાળલબ્ધિથી પામી જવા પર છોડશો નહિ' ત્યારે શ્રી આનંદઘનજી મહારાજ શ્રી અજિતનાથ ભગવાનના સ્તવનમાં કહે છે ‘પ્રભુ તમે કયા માર્ગે પરમાત્મ પદે પહોંચ્યા તે જાણવા કોઇ ઉપાય દેખાતો નથી, તો મેં નક્કી કર્યું છે કે,‘કાળલબ્ધિ લહી પંથ નિહાળશે' 66 Jain Education International ૬૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004962
Book TitleTarkna Tankna Shraddhanu Shilpa
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy