SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ કરાવી રહ્યાં છે ને ? ના, નિર્દોષ નહિ, કેમકે પોતાની ક્રૂરતામાં પોતાનાં ય એવા કષાય મોહનીય કર્મ અને અશુભ મનોયોગ તથા કાયયોગ યાને પોતાનો અસત્ પુરુષાર્થ કારણભૂત છે જ. સાથે નિમિત્ત રૂપે એમાં પ્રભુનાં કર્મ ભળે છે. એટલે પોતાના કાષાયિક ભાવ અને અસ–વૃત્તિ પોતાને દોષિત બનાવે જ છે. અલબત્ત એ દુષ્ટતામાં બીજાનાં તેવા અશુભ કર્મ નિમિત્ત તો બની જાય છે, પરંતુ મુખ્ય કારણ તો પોતાનો અસત્ પુરુષાર્થ જ છે. મોહ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે સાધુપણું જ લેવું પડે ? શું ઘરમાં રહીને મોહ સામે ન લડાય? લડાય, પણ મામુલી, કેમકે :(૧) એ શસ્ત્રોને અજમાવવા માટે જે એવું શાસ્ત્રબળ જોઇએ તે ભણવા કરવાની ઘરમાં જગ્યા જ નથી. વળી ઘરમાં રહી એ આગમ-શાસ્ત્ર ભણવાનો અધિકાર જ નથી, એ તો સાધુપણામાં જ છે. વળી (૨) સંસાર જ એવો લઇને બેઠો છે કે એમાં કેટલીય આવશ્યકતાઓ રહે છે, સ્વાર્થ સાચવવો પડે છે, અનિવાર્ય પ્રસંગો સંભાળવા પડે છે, ત્યાં જીવને રોષ-રોફ વગેરે બતાવ્યા વિના ચાલતું નથી, ચલાવવાની એવી ધીરજ જ રહેતી નથી. ત્યારે સાધુજીવનમાં એવા કુટુંબ સંભાળવાનું નથી, પૈસા રાખવાના નથી, ઘર-સામાન વગેરેની આવશ્યકતાઓ નથી, ને એવા કોઇ દુન્યવી સ્વાર્થ નથી કે જેના કારણે રોષ-રોફ વગેરે કરવા પડે. (૩) ઘરમાં સ્ત્રી, પુત્ર, ઘર, દુકાન, પૈસા, ટકા વગેરે નિમિત્તો જ એવાં છે કે જે રાગ કરાવે. સાધુ જીવનમાં એ નહિ, તેથી રાગની રમતને જગ્યા જ નહિ. (૪) વિચાર કરશો તો દેખાશે કે કેટલાય પાપ સ્થાનકો, કષાયો, મેલી લેશ્યાઓ, દુર્બાન અને સંકલ્પ-વિકલ્પો ઘરવાસનાં કારણે જ થાય છે, કરવા પડે છે. ત્યાં એને અટકાવવા મોહ સામે કેટલી લડાઇ ચાલે ? એ તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004962
Book TitleTarkna Tankna Shraddhanu Shilpa
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy