________________
ખબર નથી કે જે દિવાલને અડીને પ્રભુ બિરાજમાન છે એ દિવાલના જ બહારના ભાગમાં ચકલા વેટ નાંખે, કૂતરા મૂતરી જાય, અંતરાયવાળાં વ્હેનો અડી જાય વગેરે સંભવિત છે. જો મંદિરની અંદરમાં પ્રદક્ષિણા હોય, તો પ્રભુનો ગભારો અલગ થઇ ગયો ને એની દિવાલના બહારના ભાગને ફરતી પ્રદક્ષિણાની જગા આવી ને એને ફરતી મંદિરની દિવાલો આવી. એટલે પ્રભુની બેઠક પાછળની દિવાલ અલગ થઇ ગઇ અને એની બહારની દિવાલ અલગ તેથી અંદરની દિવાલની પવિત્રતા જળવાઈ રહે. પરંતુ જ્યાં શ્રાવકોને જ પ્રદક્ષિણાના મહત્ત્વની ખબર ન હોય ત્યાં જૈનેતર શિલ્પીઓનું બિચારાનું શું પૂછવું?
સારાંશ, પ્રદક્ષિણામાં વીતરાગને નિકટ આવવાનું થાય છે. આવો મહાન લાભ મળતો હોય તો પ્રદક્ષિણા ન ચૂકાય! જ્યાં પ્રદક્ષિણાની જગ્યા ન હોય ત્યાં પ્રભુને ભાવથી પ્રદક્ષિણા દેવી જોઇએ.
અરિહંતની વાણીએ દયાદિ માર્ગ કહ્યા એટલે જીવો એના આધારે સુખ પામે છે. પરંતુ શાસ્ત્રો અરિહંતનો જ અચિન્ય પ્રભાવ કહે છે, તો શું એમનો સાક્ષાત્ પ્રભાવ છે? હા, અરિહંતનો સાક્ષાત્ પ્રભાવ પણ છે. તે આ રીતે-જેમ ખલાસી રાતના ઉત્તરમાં રહેતા ધ્રુવતારાને દ્રષ્ટિમાં રાખીને પોતાની ઈષ્ટ દિશામાં નાવડી હંકારી જઇ ઇષ્ટ સ્થળે પહોંચે છે, એમાં એ માને છે
કે આ ધ્રુવ તારાનો સાક્ષાત્ પ્રભાવ છે કે હું અંધારી રાતે પણ નાવડી સરખી હંકારી મારા સ્થળે પહોંચી ગયો. એમ દિલમાં અરિહંતનું ધ્યાન રાખીને ભક્ત સંયમાદિ ધર્મ સુંદર સેવે છે, પાપક્ષય અને પુણ્યોપાર્જન કરે છે, સદ્ગતિ પ્રાપ્ત કરે છે તો એમાં સ્પષ્ટ છે કે એ બધામાં અરિહંતનો સાક્ષાત્ પ્રભાવ છે. ત્યાં એમ ન કહેવાય કે અરિહંતે તો કશું કર્યું નથી તો એમનો પ્રભાવ શાનો ? કેમકે દ્રષ્ટાંતમાં ધ્રુવ તારો પણ શું કરે છે ? એ તો પોતાને ઊંચે સ્થાને સ્થિર રહે છે, છતાં એ છે તો જ એને ધ્યાનમાં રાખીને પ્રવાસ બરાબર થાય છે, એ ન હોત તો તો ખલાસીની ધ્યાનક્રિયાની ગમે તેટલી હોંશિયારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org