________________
ગમે તેટલાં વંદન કરે, પ્રાર્થના કરે પરંતુ એ ખોટાં સવાસલાં છે. સાચાં ભાવવંદન નથી, સાચી પ્રાર્થના નથી.
એમ બાપને બે પૂત્રમાંથી લાગે કે એક પુત્ર અને હૃદયથી નિકટ છે, બીજો નહિ. તો પછી બીજો ગમે તેટલી સેવા કરે પરંતુ બાપને એના પર આસ્થા નથી થતી. બાપ એની સેવાની બહુ કિંમત નથી આંકતો. કદાચ પહેલો પુત્ર સેવા ઓછી પણ કરતો હોય કિન્તુ જો હૃદયથી નિકટ લાગે છે તો એના પર બાપાને આસ્થા રહે છે અને અવસરે પેટની વાત એને કહે છે, પેલાને નહિ. એમ પૈસા, ચાવી કે મહત્ત્વનાં કામ સોંપવાના હોય તો પહેલાને સોંપે છે, બીજાને નહિ.
તાત્પર્ય આ છે કે, હૃદયની નિકટ બન્યા વિનાની સેવા-વંદનાની કિંમત નથી. બસ, આ જ રીતે વીતરાગ ભગવાનને હૈયાથી નિકટ થયા વિના વંદન સ્તુતિ-પ્રાર્થનાની કશી કિંમત નથી. "
પ્રભુને હૃદયથી નિકટ આવવાનું ત્યારે બને કે પ્રભુમાં જે છે, તે બહુ કિંમતી લાગે અને સંસારમાં છે, તે માલ વિનાનું લાગે. પત્ની કરતાં માતાને હૃદયથી વધારે નિકટ કયો પુત્ર બની શકે છે ? તે જ કે જેને માતામાં જે અનન્ય ઉપકારતા છે, શુદ્ધ વાત્સલ્ય છે, નિ:સ્વાર્થ સેવા વગેરે છે, તેને બહુ કિંમતી માને અને એની સામે પત્ની, જે સંસાર સુખદાન કરે છે, સ્વાર્થની માયા છે, મોહની આકર્ષકતા છે, એ બધું પેલા કરતાં બહુ ઓછી કિંમતનું લાગે. જો એને બહુ કિંમતી લેખે અને માતાના વાત્સલ્ય, નિ:સ્વાર્થ પ્રેમ, સેવા તથા પરમોપકારતાને ઓછી કિંમતના લેખે, તો એ હૈયાથી પત્નીને નિકટ થયો, માતાને નહિ. પછી એ ભલે માતાની સેવા બજાવે પરંતુ એમાં માલ નહિં. ત્યારે પત્ની શેઠાણી બની ઓછું કામ કરતી હશે તો ય એને એ ઘણું કરતી લાગશે. “મા કરે છે એમાં શી નવાઇડો કરે છે ?” એમ લાગશે કેમકે હૈયાથી પત્નીને નિકટ છે, માતાને નહિ.
એમ સંસારી જીવને ભગવાન ઘણું આપનારા અને કિંમતી આપનારા છતાં અર્થાતુ, મનુષ્યભવથી માંડીને કેટલી બધી વાતની પુણ્યાઇ પ્રભુએ આપી. ઉપરાંત અહીં મહાકિંમતી દેવદર્શન-પૂજા-સામાયિક, વ્રતનિયમાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org