________________
આપણને અશુભ કર્મ બંધાવે જ છે. આ સ્વનો અપકાર થાય છે. માટે સ્વોપકાર કદી ભૂલવા જેવો નથી. પરોપકાર કરીને પણ એ ન ભૂલાય.
શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે :- “ગણધર ગૌતમ સ્વામીજી મહારાજને ૩િ૦ પ્રશ્ન સૂર્યો. તે ઊઠ્યા, આવ્યા ભગવાન મહાવીર સ્વામી પાસે અને
ત્રણવાર પ્રભુને પ્રદક્ષિણા દઇ વંદન-નમસ્કાર કરીને પ્રભુને પ્રશ્ન પૂછે છે.”
અહીં સવાલ એ થાય છે કે પ્રદશિક્ષા શા માટે દે છે ? એ દીધા વિના સીધું વંદન-નમસ્કાર કરીને વિનયપૂર્વક પ્રશ્ન પૂછી શકે ને?
એવો જ સવાલ ચૈત્યવંદન ભાષ્યમાં બતાવેલ જિનમંદિર વિધિમાં પહેલું નિસીહિ પછી પ્રદક્ષિણા અને પછી પ્રણામ-સ્તુતિ એમ શા માટે ? મંદિરમાં નિસીહિ કહીને પેઠા પછી પ્રદક્ષિણા વિના જ પ્રભુ પાસે જઇ સીધું પ્રણામ-વંદન
સ્તુતિ કરાય તો શો વાંધો? | | આનો જવાબ એ છે કે પ્રભુને વંદન કરવું હોય, સ્તુતિ કરવી હોય,
નમસ્કાર કરવો હોય તો પહેલાં પ્રભુની અંતર (હયું) થી નજીક
આવવું જોઇએ. જો અંતરથી નજીક ન આવીએ અને ખાલી બાહ્યથી નજીક આવીએ તો એટલા માત્રથી સાચી વંદના ન થાય કે પ્રશ્ન પૂછવાનો અધિકાર ન રહે.
કારણ સ્પષ્ટ છે. વંદન તો અનંતવાર કર્યા પરંતુ આપણા આત્માનો નિસ્તાર કેમ ન થયો ? કહો કારણ આ જ, કે વંદન કરતા હૃદયની નિકટ ન થઇએ ત્યાં સુધી આપણે વંદન કે પ્રશ્ન, પ્રાર્થના કોણ સ્વીકારવા નવરું છે?
આજે જાઓ કે પત્નીને જ્યાં એમ લાગે છે કે “પતિ હૈયાથી એમની માતાને નિકટ છે, મને નહિ તો પછી પતિ બાહ્યથી પત્નીને નિકટ રહી ગમે તેટલી પ્રેમની વાતો કરે, એ પત્નીને માત્ર ખોટા સવાસલાં લાગે છે. એમ જીવ સંસારને, વિષયોને અને પરિવારને હૈયાથી નિકટ હોય પછી પ્રભુ આગળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org