________________
૫૦૦ મુનિ ઘાણીમાં પીલાતાં, એમને નિર્ધામણા કરાવી મોક્ષે મોકલવાનો ભારે પરોપકાર કરનાર ખંધકસૂરિ પોતે પીલાતાં પાલકપાપી પર વૈષમાં ચડ્યો તો સંસારમાં અટકી ગયા. ત્યારે ઝાંઝરીયા મુનિનો ઘાતક રાજા ઘોર પશ્ચાત્તાપ અને દુષ્કત ગર્તા સાથે પ્રચંડ વૈરાગ્ય ભાવનામાં ચડ્યો તો ત્યાં જ કેવળજ્ઞાન પામ્યો. કદાચ ઝાંઝરીયા મુનિ કપાતાં કષાયમાં ચડયા હોત તો એ સંસારમાં અટકી જાત પણ ઘાતક રાજા કષાય વોસિરાવી કેવળજ્ઞાન પામ્યા તે સંસારમાં ન અટકત.
રાગ-દ્વેષ, કામ-ક્રોધ-લોભ, મદ-માયા વગેરેને તિલંજલી આપવી, દુર્ગાનને બંધ કરવું. હિંસાદિ પાપોને વોસિરાવવા, અરિહંત-સાધુ જિનધર્મની ઊંચી ઉપાસના કરવી એ સ્વોપકાર છે. તેને ભૂલીને પરોપકાર કરાય તે જાતને તારી શકે નહિ. અલબત્ત, છતી શક્તિએ પરોપકારની ઉપેક્ષા નહિ કરવાની, પણ શક્તિ ન હોય અને ન કરાય છતાં જો સ્વોપકાર બરાબર કરાય તો તે તારણહાર છે.
આ જૈન ધર્મનાં રહસ્યને સમજવામાં આવે તો સેચનક હાથી પરોપકાર કરવા છતાં કેમ નરકે ગયો એનો ભેદ ઊકલી જાય. એણે પરોપકાર કર્યો ખરો કિન્તુ ખાઇમાં બળી મરવાનું આવ્યું ત્યાં તીવ્ર ક્રોધ અને રૌદ્રધ્યાનમાં ચડી ગયો, “આ મારા મૂઢમાલિકે હઠાગ્રહથી મને ખાઇ પર ચલાવ્યો ? હે પાપી દુશ્મન ! તે ખાઇમાં ગુપ્ત અંગારા રાખવાનો આ પ્રપંચ કર્યો ? હરામી! તું જો મારા હાથમાં આવે તો....' આવાં કોઇક દુર્ગાનમાં ચડવાથી એ પટકાયો નરકમાં.
ખૂબ કેવી છે કે સ્વોપકાર એટલે ઉપશમભાવ. જગત પ્રત્યે ઉદાસીનભાવ, એ ભૂલાય છે ત્યારે પોતે પૂર્વે સારા ભાવે કરેલા પરોપકારની હવે અનુમોદના ભૂલાય છે અને સારું-કરાવ્યું ધૂળધાણી થાય છે. “હું જો કષાય-દુર્બાન કરીશ તો એ કષાયાદિ મને મારશે. સામો ભલે ગુન્હેગાર હોય અને હું માત્ર નિર્દોષ ન્યાયી નહિ કિન્તુ ગુણિયલ પરોપકારી પણ હોઉં છતાં મને કષાય-દુર્બાન કરવાનો હક્ક નથી મળતો.”આ બરાબર લક્ષ્યમાં રહે. આપણા કષાય આપણને દંડે જ છે. સામાના ગુન્હા પર પણ આપણું દુર્ગાન
૨૫ ૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org