________________
કષાયમાંથી બહાર શી રીતે નીકળાય ? આ સમજવા માટે પહેલાં એટલું ધ્યાનમાં રહે કે કષાયનો અધ્યવસાય યાને ભાવ કાંઇ એકજ પ્રમાણનો નથી કિન્તુ એમાં (Degrees) ડિગ્રીઓ છે, માત્રાઓ છે. સૌથી ઊંચી ડિગ્રીનો ઉત્કૃષ્ટ માત્રાનો, એનાથી જરાક ઉતરતી માત્રાનો, એનાથી પણ જરાક ઉતરતી માત્રાનો ઓછો કરતાં કરતાં વીતરાગભાવ યાને તદ્દન નિષ્કષાયભાવ આવવા પૂર્વનો અત્યંત નહિવત્ કષાયભાવ. એ સૌથી અલ્પ માત્રાનો કષાયભાવ એ ઊતરતી માત્રાઓ થઇ. એના બદલે અલ્પમાંથી વધતી માત્રાનો કષાય થતો આવે એ ચડતી માત્રાઓના કષાયભાવ ગણાય.
હવે જોવાનું એ છે કે એમાં શી રીતે અલ્પ અલ્પ માત્રાના કષાય અધ્યવસાય થતા આવે ?
એનો ઉત્તર એ છે કે કષાય જેવા પ્રકારનો હોય તેના-તેનાથી વિરુદ્ધ શુભભાવ ઊભો કરાય તો એ દબાય. દાત. ક્રોધ કષાયનું ઉપશમન ક્ષમાસમતાના ભાવથી થાય, માનકષાયનું શમન નમ્રતા-મૃદુતા-લઘુતાના ભાવથી, માયાનું ઋજુતા-સરળતા-નિખાલસતાના ભાવથી અને લોભનું ઉપશમન નિસ્પૃહતા-તૃપ્તિ-નિર્મમતાના ભાવ વડે થાય. એનો અર્થ એ કે પેલા કષાયના અશુભ ભાવની સામે આ ક્ષમાદિના શુભ ભાવ ઊભા કરવા પડે, એમાં પણ ડિગ્રી (માત્રા) તો રહેવાની. સૌથી અલ્પમાત્રાનો ક્ષમાનો ભાવ, એનાથી વધતી માત્રાનો, એથી પણ અધિક માત્રાનો... એવું નમ્રતાદિના ભાવોમાં ય અનેક માત્રાઓ રહેવાની. છતાં એટલું તો નક્કી કે આ ક્ષમાદિ એ પણ ભાવ છે ને કાંઇ વીતરાગ દશા નથી. વીતરાગ દશા તો પરાકાષ્ઠાની સર્વથા કષાયમુક્ત અવસ્થા છે. એટલે એની નીચેની ગુણમય અવસ્થાઓ આમ કષાયના અસ્તિત્વવાળી અવસ્થા હોઇને વિશુદ્ધ' કહેવાય છે કેમકે ક્ષમાદિ વિકસતાં કષાય શમતા આવીને વિશુદ્ધ-વિશુદ્ધ અવસ્થા બનતી આવે છે.
અર્થાતું, વીતરાગ બનવા પૂર્વે કષાયના અશુભ ભાવ દબાવતા આવવા માટે ક્ષમાદિના શુભ ભાવો કેળવતા આવવું જ પડે. ત્યારે જો કોઇ એમ કહે કે મારે વીતરાગ જ બનવું છે ને એમાં તો કોઇ અત્યલ્પ પણ કષાય રખાય નહિ એ તો તદ્દન કષાયમુક્ત શુદ્ધ અવસ્થા છે. માટે મારે ક્ષમાદિના શુભ ભાવનું શું
૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org