________________
કદાચ એને ભયંકર સજા થાય એ તરફ આંખમિંચામણા થાય છે. અર્થાત્ સામાને ઊભા થનાર દુ:ખ પ્રત્યે ઉપેક્ષા, કઠોરતા, નિર્દયતા થાય છે. જો એ હોય અને પોતાનો જીવ બચાવવો છે તો એનો અર્થ એ, કે બીજાના ભોગે પોતાના બચાવની તાલાવેલી મુખ્ય બની. પછી ‘ભવિષ્યમાં હું ધર્મ ઘણો કરીશ' એ એક બહાનું અથવા ગૌણ ઇચ્છા થઇ. પોતાના પ્રાણના લોભે, હાથવેંતમાં રહેલ પ્રત્યક્ષ દયાધર્મને કચડવા જતાં ભાવી ધર્મસાધનાની લાગણી જોરદાર રહેવાનું શી રીતે કહી શકાય ?
માટે તો કુમારપાળ મહારાજાએ કંટકેશ્વરી દેવીને વરસોવરસ અપાતા બોકડાના ભોગમાં સંમતિ ન આપી. દેવીએ ત્રિશુલ મારી કોઢિયા બનાવ્યા તો પણ વધની સંમતિ ન આપી અને બળી મરવાની તૈયારી કરી. ત્યાં એમ ન વિચાર્યું કે હું જીવતો હોઇશ તો ભવિષ્યમાં ઘણી શાસન-પ્રભાવના કરીશ. ઘણો ધર્મ કરી શકીશ. કેમ નહિ ? કારણ આ જ કે બોકડા પ્રત્યે દયા અને અહિંસાની જિનાજ્ઞાનું અંજામણ. એથી પોતાના પ્રાણના સંકટે પણ એ બજાવવામાં ઝાલ્યા રહી શકતા નથી. અંજામણ ચીજ એવી છે.
સુદર્શનશેઠને જિનવચનનું અને જિનવચને કહેલ દયા અને વ્રતધર્મનું એવું અંજામણ છે એટલે પોતાના બોલવા પર અભયા રાણીને આઘાત અને સજા થાય એ જોવા તૈયાર નથી.
બાહુબલીએ બ્યુનોના વચનથી માનાકાંક્ષા પડતી મૂકીને ભાઇ મહર્ષિઓને વાંદવા પગ ઉપાડયા ત્યાં માનાકાંક્ષા તો પડતી મૂકી પરંતુ નાના ભાઇ મહર્ષિઓને નમન કરવાની આકાંક્ષા જાગી એ પણ આકાંક્ષા એક રાગરૂપ જ છે ને ? તો એ છતે ય વીતરાગ શી રીતે બનાય ? વીતરાગ એટલે તો સર્વથા રાગરહિત ?
૩૬
-0
અહીં સમાજવાની જરૂ૨ છે કે માનાકાંક્ષા એ અશુભ અધ્યવસાય છે અને નમસ્કારની આકાંક્ષા એ એક શુભ અધ્યવસાય છે. ત્યાં પહેલાં એ અશુભ અધ્યવસાય તોડવાને માટે આ શુભ અધ્યવસાયની
Jain Education International
૪૮
For Private & Personal Use Only
www.jainelibrary.org