________________
સાંભળીને અત્યંત ગુસ્સે ભરાયેલો રાજા અભયાને શિક્ષા વિના જતી કરે ! વળી પોતે સત્ય પ્રકાશવા જતા અભયાનું મર્મ ખૂલવાથી એના દિલને જબરદસ્ત આઘાત તો થાય જ એ નિશ્ચિત છે. અહિંસા અને દયાના મહાન ઉપાસક સુદર્શન શેઠ એ કેવી રીતે વધાવી લે ? આપણા દિલમાં એવો દયાભાવ ન હોય એટલે સામાના હ્રદય મર્મ ભેદાતા એને કેટલો સજ્જડ આઘાત લાગે છે અને તીવ્ર દુ:ખ થાય છે એની કલ્પના નથી આવી શકતી. ત્યારે સુદર્શન શેઠ, જે શ્રાવકધર્મ પામ્યા છે અને જે એમણે અહિંસા, સત્ય વગેરેનાં વ્રત લીધા છે એમાં એનો ૫૨માર્થ, એનું રહસ્ય, એનો ઊંડો ભાવ હૈયે એવો વસાવ્યો છે કે એ જીવો પ્રત્યેનો દયાથી છલોછલ ભરેલો છે. પછી ત્યાં સામાએ પોતાને ઘણો બધો ત્રાસ આપ્યો, કેટલી વિટંબણા કરી એને આડે આવવા દેતા નથી, તેની ગણતરી કરતા નથી અને સામાના દુઃખનો વિચાર પહેલા કરે છે. સામાને દુ:ખ પડે એનાથી પોતાનું દિલ દ્રવિત થઇ ઊઠે છે. મહાવીર પ્રભુને છ મહિના સુધી રંજાડનારો અને એક રાતમાં અતિ ભયંકર ઉપસર્ગ ક૨ના૨ો સંગમ દેવતા હવે હારીને જવા લાગ્યો ત્યારે પ્રભુને એ જુલ્મનો હિસાબ ન ગણતાં એને ભાવી નરકાદિ દુ:ખો વરસવાની કલ્પના પર દિલ દ્રવી ઉઠ્યું ને ? આંખમાં આંસુ આવી ગયા ને ? હું આવા માલિકનો આજ્ઞાંકિત છું એ ગૌરવ હૈયે વસ્યું હોય તો આપણને પણ આપણા પર દુ:ખ વરસાવનાર દુઃખી થયા અંગે દયા કેમ ન ઊભરાય ? સુદર્શન શેઠને જિનેશ્વર ભગવંતના અને એમનાં વચનનાં એવાં અંજામણ છે કે એમના દિલમાં અભયા પ્રત્યે એ દયા ઊભરાય છે. એણે કેવા પ્રપંચ અને જુલ્મ કર્યા એ તદ્દન ભૂલી જઇને એનો મર્મ ખુલ્લો ક૨વામાં એના દિલને કેટલો બધો આઘાત કરે, એની દયાથી દ્રવિત થઇ જાય છે. એટલે એ રહસ્ય ખોલનારૂં સાચું પણ વચન કેમ બોલે ?
ન
વળી પોતે જીવતા રહે તો ભવિષ્યમાં ઘણો ધર્મ કરી શકે એ વિચારમાં પણ ધર્મની વિશેષ ભૂખ કરતાં પોતાના પ્રાણ બચાવવાનો લોભ મુખ્ય હોવાની ગંધ આવે છે. કેમકે પહેલું તો જીવ પોતાને બચાવવા માટે સામાના ગુપ્ત દુષ્કૃત્યને જ પ્રકાશમાં લાવશે એથી એને જ સજ્જડ હૃદયાઘાત લાગે અને
Jain Education International
૪૭
For Private & Personal Use Only
www.jainelibrary.org