SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં ચોથા આરામાં કે આજે મહાવિદેહ ક્ષેત્રમાં પુણ્ય ઉત્કૃષ્ટ સંઘયણ બળ મળ્યું એ બધાને મોક્ષનો પુરુષાર્થ કેમ ન થયો ? કર્મથી જ પુરુષાર્થ જનમતો હોય તો તે જનમવો જોઇતો હતો. કર્મ અનૂકૂળ છતાં કાળ અનુકૂળ ન હોય એટલે ઉદ્યમ ન થાય એમ બને ને ? પણ અહીં ભૂલતા નહિ, ચોથા આરાનો કાળ તો અનુકૂળ જ છે. તેથી તો બીજા કેટલાક જીવો મોક્ષનો પુરુષાર્થ કરી શકે છે ને ક૨ીને મોક્ષ પામે જ છે માટે આ વાત જ ખોટી છે કે ‘પુરુષાર્થ કર્મ અને કાળને આધીન છે.’ ઉત્કૃષ્ટ સંઘયણ બળનું પુણ્યકર્મ અને ચોથા આરાનો કાળ તેમજ ભવ્યતાનો સ્વભાવ એ ત્રણેય મળવા છતાંય મોક્ષનો પુરુષાર્થ કેમ નથી જનમતો ? ત્યાં કહવું પડે કે પુરુષાર્થ એ પણ કાળ અને કર્મની જેમ સ્વતંત્ર કારણ છે. એટલે કે પેલા કારણ માત્રથી પુરુષાર્થ ન જન્મે. કિન્તુ જીવે પુરુષાર્થ કરવો હોય તો જ થાય, ન કરવો હોય તો ન થાય, એ એની સ્વતંત્રતા છે... અલબત્ત, કાળ, સ્વભાવ કર્મ વગેરે પુરુષાર્થમાં સહાયક ખરાં, પરંતુ પુરુષાર્થને જગાવનારાં ન કહેવાય. પુરુષાર્થ પોતે જગાવે તો જ થાય, ન જગાવે તો ન જ થાય. કાર્ય થવામાં જેમ કર્મ સ્વતંત્ર આવીને ઊભું રહે, સ્વભાવ સ્વતંત્રપણે આવીને ઊભો રહે એમ પુરુષાર્થ સ્વતંત્ર આવીને ઊભો રહે: ત્યાં ``વું નહિ કે સ્વભાવને કર્મ લાવી આપે યા કર્મને સ્વભાવ જગાવી આપે, એમ એવું પણ નહિ કે પુરુષાર્થને કાળ, કે પરુષાર્થને કર્મ જગાવી આપે, કિન્તુ જેમ કાળ કે કર્મ સ્વતંત્રપણે આવે એમ પુરુષાર્થ સ્વતંત્રપણે આવે. એટલે, કાળ-કર્મ-સ્વભાવ બધું અનુકૂળ છે છતાં મોક્ષનો પુરુષાર્થ તો જીવ કરે તો જ થાય. આ ઉપરથી સમજી શકાય છે કે મનુષ્યભવ, આર્યત્વ, દીર્ધ આયુષ્ય અને દેવ-ગુરૂ-ધર્મનો સંયોગ મળી ગયો એટલે કર્મ તો અનુકૂળ થઇ ગયાં છે. હવે પુરુષાર્થ જગાવાનું તમારે આધીન છે માટે બહાનું ન કાઢતા કે ‘શું કરીએ ? પુણ્યનો ઉદય નથી એટલે મોક્ષનો-ધર્મનો પુરુષાર્થ નથી થતો.' આ Jain Education International ૪૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004962
Book TitleTarkna Tankna Shraddhanu Shilpa
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy