SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ માળમાં આગ લાગી છે. તો શું પહેલાં ધીરે ધીરે કૂદવાનો અભ્યાસ પાડવા બેસી રહેવાય છે? કે એકદમ જ નીચે ૧-૨ માળ કૂદી જવાય છે? (૨) જંગલમાં બૂમ પડી કે પાછળ લૂંટારા ચાલી આવે છે, તો શું પહેલાં ૧ ફલાંગ, પછી વળી ૧ ફલાંગ,... એમ દોડવાનો ધીરે ધીરે અભ્યાસ પડાય છે? કે એકદમ બે માઇલ દોડીને કોઇ સુરક્ષિત સ્થાને પહોંચી જવાય છે? (૩) દેવાળું નીકળી ગયું, શેઠાઇ ગઇ, તદ્દન ગરીબી આવી, હવે રોજના રોટલાનો આખા કુટુંબ માટે પ્રશ્ન આવી ઊભો, નોકરીનાં કષ્ટનો અનુભવ નથી, તો શું ધીરે ધીરે એનો અભ્યાસ પાડતાં બેસી રહેવાય છે કે એકદમ જ ભારે કષ્ટની તો કષ્ટની, પણ એવી નોકરી કે મજુરી સ્વીકારી લેવાય છે ? (૪) અકસ્માત થયો, કે કેન્સર જેવા રોગ ઊભો થયો, તો ભારે કષ્ટનાં ઑપરેશન વગેરે ટ્રીટમેન્ટ એકદમ વધાવી લેવાય છે ને ? કે ધીરે ધીરે અભ્યાસ પાડવા ઊભા રહેવાય છે? (પ) કોઇ કારણે આબરૂ ગઇ, ભારે બે-આબરૂ આવી ઊભી તો પરદેશ ભાગી જઇ ત્યાંના મોટા કષ્ટ પણ એકદમ ઉપાડી લેવાય છે ને ? કે પહેલાં ગામમાં રહી એ કષ્ટનો ધીરે ધીરે અભ્યાસ પાડતાં ત્યાં બેસી રહેવાય છે? વાત આ છે, કે મનમાં મોટો કોઇ ભય લાગી જાય, યા કોઇ ભારી ચિંતા ઊભી થઇ જાય, અથવા કોઇ મોટી લાલચ બની આવે, તો એ ભય-ચિંતાથી છૂટવા યા એ લાલચ પુરી કરવા ભારેમાં-ભારે કષ્ટ પણ એકદમ જ ઉપાડાયા છે. તેમ ભયાનક સંસારનો ભય દેખાઇ જાય અથવા સાધુપણાના બ્રહ્મચર્યાદિ ગુણોની સાચી લાલચ લાગે ત્યારે ઊંચા ધર્મમાં એકદમ ઝૂકાવી દેવાનું સામર્થ્ય પ્રગટે છે. જૈન ધર્મ માત્ર નિવૃત્તિરૂપ છે, નિષેધરૂપ છે. NegativeDestructive પદ્ધતિનો છે, કિન્તુ રચનાત્મક Positive constructive નથી.” આમાં દલીલ એ છે કે “જૈનધર્મના મુખ્ય નવકારમાં જ જુઓ “નમો અરિહંતાણ' માં અરિહંત એટલે શત્રુનો નાશ કરવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004962
Book TitleTarkna Tankna Shraddhanu Shilpa
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy