________________
એ જ આંબામાંથી ફિક્કા પાંદડા અને એજ બાવલમાંથી સારો ગુંદર તથા દાંત સાફ કરનાર સારાં દાંતણ પણ પાકે છે ને ? જે તળાવમાંથી કમળ જન્મે છે એજ તળાવમાંથી કીડા પણ જન્મે છે ને ? તો સારામાંથી સારું જ થાય એવો નિયમ કયાં રહ્યો ?
અસમાનતા શાના ઘરની ?
બાકી, ખરી રીતે એ જુઓ કે આંબામાંથી આંબા એ તો એક જાતનું સમાન શરીર છે. એમ અહીં પણ બાપના માનવ શરીરમાંથી દીકરો માનવ શરીરરૂપે સમાન જન્મેલો જ છે, એટલે આંબાની જેમ મનુષ્ય તરીકે સમાન ઉત્પત્તિ તો થઇ જ છે. હવે જે વિષમતા છે, અસમાનતા છે, તે તો ગુણોની છે અને એ ગુણો શરીરના નહિ, પણ આત્માના ઘરના છે. ત્યારે પુત્રનો આત્મા અને આત્માના એ ગુણો કાંઇ બાપના આત્મા કે શ૨ી૨માંથી નથી ઉત્પન્ન થતા, કે જેથી સમાન જ ઉત્પન્ન થવાની આપત્તિ આવે.
مس
૨૮
દીક્ષા-બ્રહ્મચર્ય જેવા ઊંચા ધર્મમાં એકદમ કેવી રીતે ઝુકાવાય ? થોડા થોડા ધર્મના અભ્યાસ વિના ઉચ્ચ કોટિના ધર્મનું પાલન કેવી રીતે શક્ય બને ?
તો એ કહો કે એ એમ શક્ય ન બને એમાં કારણ શું ?
એ જ ને કે બહુ કષ્ટમય માર્ગ છે માટે અભ્યાસ વિના એકદમ કેમ એવાં કષ્ટ ઉપાડી શકાય ? પરંતુ તમે એ જુઓ કે સંસારમાં કોઇ એવી આજીવિકા વગેરેની ભારે ચિંતા ઊભી થઇ હોય, યા કોઇ મોટી ધન વગેરેની લાલચ ઊઠી હોય, અથવા કોઇ લૂંટારા-ખૂની-અપકીર્તિ આદિનો ભય ઊભો થયો હોય, તો એ ચિંતા કે ભય નિવારવા માટે યા એ મોટી લાલચ સંતોષવા માટે કેવાં કેવાં ભારે કષ્ટ એકદમ જ નથી ઉપાડતા ? ત્યાં ક્યાં ધીરે જ ધીરે કષ્ટનો અભ્યાસ પાડવા ઊભા રહેવાય છે ?
امس
=
એકદમ કષ્ટ ઉપાડવાના દાખલા –
(૧) ઘ૨માં ૩જા માળે ઊંઘમાં હતા ને બૂમ પડી કે ઘ૨માં નીચેના ૧-૨
Jain Education International
૩૫
For Private & Personal Use Only
www.jainelibrary.org