________________
લોકો જ ત્યાં નથી એટલે અપકીર્તિ કયાં થાય ? શરીર નહિ તો કોઇ શીતઉષ્ણતાદિની અશાતા જ નહિ, પછી પહે૨વા, ઓઢવા, ભેગું કરવા, કે હરવાફરવાની વેઠ શી ?
ત્યારે મોક્ષમાં છે શું ? સર્વથા સ્વતંત્ર જીવવા-૨હેવાનું, કોઇ અંશે, કોઇ રીત ય પરતંત્ર નહિ. આત્મા સ્વરૂપમાં જ મસ્ત રહે. આત્માનું સ્વરૂપ શું ? લોકાલોકના દરેક દ્રવ્યના ત્રણે કાળના અનંતાનંત ભાવોને જોવા-જાણવા અને અવ્યાબાધ અનંતસુખ તથા અક્ષય અને અવિકાર્ય સ્થિતિના પ્રશાન્ત સાગ૨માં ઝીલવું. પરતંત્રતા કેમ નહિં? ત્યાં અશુભ રાગાદિ વિકારો નથી માટે. જીવ રાગાદિના કા૨ણે જ એના વિષયનો ગુલામ બને છે. એના આધારે જ ચાલે છે. એથી રાગાદિના વિકારોને લીધે જ પીડા ભોગવે છે. સિદ્ધપણામાં તો વીતરાગતાને લીધે પરમ સ્વાતંત્ર્ય છે. સાથે પરમ શાંતિ છે. કેમકે ત્યાં વ્યક્તરૂપે તો નહિ, પણ શક્તિરૂપે ય અંદર છૂપા પડેલા ક્રોધાદિ કષાયો નથી કે જે અશાંતિ કરે, તેમ સર્વ ઉપદ્રવનો કાયમી અંત થવાથી ત્યાં શાશ્વતું શિવ છે. ત્યાં ગમનાગમનાદિ કરાવનાર અકળામણ નથી. તેથી કોઇપણ ખસવાનું, હાલવાનું, બોલવાનું ચાલવાનું, દબાવાનું વગેરે કાંઇ નથી, સિદ્ધ હંમેશ માટે સર્વથા અક્રિય છે, માટે અવ્યાબાધ સ્થિતિ છે. જ્યાં ક્રિયા છે ત્યાં જ એનક બાધા (પીડા) નડે છે.
આવો મોક્ષ કેટલો બધો ઇષ્ટ બને ! જીવને બીજું જોઇએ પણ શું છે ? આવું બધું તો એને બહુ ગમે છે. સર્વ વાતની જાણકારી એને પસંદ, સ્વાધીનતા જ એને ગમે, બધું મનમાન્યું બરાબર હોય, તો એ ગુસ્સો, રોફ, માયા વગેરે ક૨વા જરૂરી નથી, તદ્દન નિરૂપદ્રવ સ્થિતિનો એ અહર્નિશ ચાહક, એને બેઠો હોય ત્યાં ઉઠવું ન ગમે, અર્થાત્ શક્ય હોય ત્યાં સુધી ક્રિયાનો પરિશ્રમ ન હોય તો ઠીક લાગે, અને આ બધા ઉપરાંત સંપૂર્ણ અને સ્વાધીન, તથા એકાંત અને અનંત સુખનો તે રસિયો. બસ, આ બધું મોક્ષમાં જ છે.
આંબામાંથી આંબા અને બાવલમાંથી કાંટા પાકે, તો અહીં સારા બાપનો છોકરો ખરાબ પાકે તેવું કેમ બને છે ?
Jain Education International
૩૪
For Private & Personal Use Only
www.jainelibrary.org