________________
યાને ધર્મ પ્રત્યે અરૂચિ હોવાથી એનું પરિણામ ઉગ્ર અબોધિ બીજનું આવે છે. જેને ધર્મની પ્રાપ્તિના વિરોધી ભાવને ઉત્પન્ન અને દ્દઢ કરનારૂં બને છે, કે જે ધર્મપ્રાપ્તિના કારણભૂત ધર્મ આદર-આકર્ષણ-પ્રશંસાથી, અર્થાત્ બોધિબીજથી એ લોકને અત્યંત દૂર રાખે છે, અને પોતાના માટે ય પરભવે અબોધિનું ફળ નીપજે છે.
લોકવિરૂદ્ધ એટલે લોકના દિલમાં ધર્મ પ્રત્યે દુર્ભાવ-કરાવે એવા વાણીવર્તાવ.
મોક્ષમાં શું સુખ? જયાં મજેનું ખાવાનું નહિ, પીવાનું નહિ, વાડી૨૬.
બંગલા, માલ-મિલ્કત નહિ, એશ-આરામ નહિ, પ્રેમાળ-સ્નેહી કુટુંબ નહિ, તેથી શો લાભ? સુખ શું? શો આનંદ? બીજા અનેક ત્રાસની વાત તો શી કરવી ? પરંતુ એક મૃત્યુની માત્ર આગાહી જો કોઇ વૈદ્ય કે જોશી કરે, તો પણ તે જીવને ડગલે ને
પગલે અકળાવી નાંખે છે, તો જ્યાં કદી મૃત્યુ જ નથી ત્યાં કેટલી શાંતિ ? જન્મનો ત્રાસ તમને ગમે છે ? ઇષ્ટની ઇચ્છા થઇ, અને તે મળે નહિ કે, મળેલું દૂર ભાગે તો ખેદ થાય છે ? અનિષ્ટ આવી પડે તો મુંઝાઓ છો ? ભૂખ-તરસથી વારંવાર પીડાઓ છો ? પરાધીનતાનું દુ:ખ લાગે છે ? આધિવ્યાધિ, વૃદ્ધપણું નથી ગમતા ને ? તો આ બધું જ્યાં નથી તે મોક્ષનું કેવું અને કેટલું અનુપમ સુખ ! ત્યાં શરીરમાં કેદ પુરાવારૂપ જન્મ જ નથી, એટલે પ્રાણનાશરૂપ મૃત્યુ પણ નથી, વય હાનિરૂપ ઘડપણ પણ નથી. ઇષ્ટનો વિયોગ નથી, કારણ કે ત્યા અનંત સુખ શાશ્વત છે. વળી ઇચ્છાનું કે રાગનું નામ નથી એટલે ઇષ્ટ શું ? તેમજ શરીર-ઇન્દ્રિય-મન નથી તેથી અનિષ્ટ ય કાંઇ જ નથી. અનુભવ છે કે અનિષ્ટ બધું શરીર-ઇન્દ્રિય કે મનને હોય છે, પણ શરીરાદિ જ ત્યાં નથી, તેથી અનિષ્ટનો સંયોગ થવા જેવું ય કાંઇ નથી. ભૂખનું દુઃખ જ નથી, તેથી ખાવાની વિટંબણા નથી. તૃષા નથી એટલે પીવાની વેઠ નથી. તેમજ બીજા કોઇ દોષ, અર્થાત્ વ્યાધિ, અપકતિ, અશાતા, વેઠ વગેરે વગેરે કાંઇ નથી. શરીર જ નથી પછી વ્યાધિ કોને ? નિંદા પ્રશંસા કરનારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org