________________
કુળમુદ બહુ મોટો ગુન્હો હોવાનું રહસ્ય આ દેખાય છે કે એ કુળમદ કરવામાં પોતે એ જોવું ભૂલ્યાં કે “પોતે વર્તમાનમાં કેવા
ચારિત્ર્ય-ભ્રષ્ટ છે! એ પણ કેવા તુચ્છ સુખશીલતાના કારણે મહા અણમોલ ચારિત્રને મૂકી દેનારા બન્યા છે !” એ જોવું ભૂલ્યા. એટલે પોતે વર્તમાનમાં મહા વ્રતભંજક જેવા મહા દોષિત હોવા છતાં ભવિષ્યમાં ઊંચી પદવીઓ પામશે એનો અત્યારે મદ લાવે છે!
આ એના જેવું છે દા. ત. કોઇએ ભ્રમ અને આવેશવશ નિર્દોષ સગા ભાઇનું ખૂન કરી નાંખ્યું હોય, અને ત્યાં કોઇ જોષી એને કહે કે “તમે ભવિષ્યમાં રાજા થવાના છો', ને એ સાંભળી ખુશીથી ફુલાય કે “વાહ! તો તો મારી કેવી વડાઇ! મારા કુળની કેવી વડાઇ!' તો એ લોકમાં હાંસીપાત્ર બને. લોક કહે “જાઓ પાલગતા ! સગા ભાઇની હત્યા કર્યાની એના હૈયે કોઇ નાનમ નથી”ને આ ખુશી થવાની પાગલતા કરે છે !” ખરી રીતે તો ત્યાં મોં લજ્જાથી સદા નીચું રહે, પછી ભલેને કોઇ એના ગુણ ગાવા કે મોટાઇ બતાવવા આવે, પરંતુ એનું દિલ ઘોર દુષ્કૃત્યના પશ્ચાત્તાપથી સળગી રહ્યું હોય, એવો પશ્ચાતાપ ન કરતાં ઊલટું મદ કરવામાં તો આ કાંઇ જેવી તેવી નફ્ફટાઇ નથી, જેવી તેવી નાલાયકી નથી, જેવો તેવો ગુન્હો નથી.
મરીચિની આ સ્થિતિ છે. ભલે ભરત ચક્રીએ ગમે તેવી વડાઇ ગાઇ, પરંતુ ત્યાં ઊલટું મોં વધુ શરમથી વધુ નીચે પડી જાય, મનને એમ થાય કે “અરરર ! હું એવી ઉચ્ચ પદવી પામનારો આટલો બધો નીચ કે મેં સ્ટેજ કષ્ટમાં સંયમ તોડી નાંખ્યું ? પ્રભુ પાસે બધાની વચ્ચે લીધેલ મહાન પ્રતિજ્ઞાઓ તોડી નાંખી? કેટલો બધો દુષ્ટ હું?
આવી મહાશરમ અને પારાવાર અફસોસની બદલે દિલમાં મદ આવે ત્યાં નફફટાઇ-નાલાયકી-વિટ્ટાઇ કેટલી બધી હોય ? પછી એ મદ ઉપર નીચગોત્ર-કર્મ લાંબી સ્થિતિનું બંધાય, અને તે પણ એવું કે ૨૩માં ૨૫મા ભવે જબરદસ્ત ચારિત્ર-આરાધના કરી છે છતાં એ નીચગોત્ર કર્મનો છેલ્લો અંશ નાશ ન પામે તે છેલ્લા તીર્થકરના અવતારે કે જ્યાં જબરદસ્ત ઉચ્ચગોત્ર-કર્મ ઉદયમાં આવવાનું છે ત્યાં પણ પહેલા એ નીચગોત્ર-કર્મ ભોગવવું પડે, એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org