________________
બીજાનાં દોષ પર ઉપેક્ષા ભાવનો આ મહિમા છે કે એથી એ જીવો પર દ્વેષ-અરૂચિ-અભાવ ન થાય. એટલે જ મહાવીર પ્રભુ સંગમ દેવતા ઉપસર્ગ વરસાવી રહ્યો હતો ત્યારે એના દોષ પ્રત્યે ઉપેક્ષાભાવવાળા હતા. અને પોતાને કર્મક્ષયનો મહાલાભ આપનારા કષ્ટ સહનમાં કઠોર હતા, હવે સહન પૂરૂં થતાં સંગમની ભાવી દુર્દશાના વિચાર પર એના પ્રત્યે દયા ઊભરાઇ આવી.
એક વાત છે કે પોતે નિમિત્ત બની જવા બદલ જો પોતાની જાત પર ઘૃણા આવે તો એવી આવે કે ‘અરેરે ! આ મારું શરીર કેવું ગોઝારું કે આ બિચારા જીવને પાપમાં નિમિત્ત થયું ! ધન્ય છે તે સિદ્ધ ભગવંતોને કે જેમણે આવું શરીર જ રાખ્યું નથી કે જે બીજાને પાપમાં નિમિત્તભૂત થાય ! હું હજી શરીરધારી હોઇને અધન્ય છું.’ આમાં ઘૃણા શ૨ી૨ધા૨ીપણા ઉપર છે, કિન્તુ સામાને પાપ કરવાની પ્રેરણા પર નહિ કેમકે પોતે સામાને પાપ કરવા પ્રેર્યો જ નથી.
સારાંશ, પોતાને કષ્ટ સહવાનું ચાલતું હતું ત્યારે પ્રભુ એમાં સ્વોપકારનો અવસર જોઇ એ સહવામાં કઠોર હતા જેથી દીનતા ન આવે. હવે કષ્ટ પૂરા થયે સામો પાછો જતાં એના ઉપકારના એટલે કે પરોપકારના વિચારમાં દયાભર્યા બની ગયા. જો સ્વોપકાર વખતે આ પરદયાનો વિચાર લાવ્યા હોત તો સ્વોપકાર મોળો પડી જાત. પછી ત્યાં તો ઉપસર્ગ શરૂ થતાં જ સામાને કહી દેવું પડત કે ‘જા ભાઇ જા, નકામો પાપ બાંધી દુ:ખી થઇશ' ને એમાં તો પોતાને કષ્ટ સહવાનું અને કર્મક્ષય ક૨વાનું ૨હે જ ક્યાંથી ?
આ સૂચવે છે કે પહેલાં વિચાર સ્વોપકારનો છે, અને સ્વોપકાર પૂરેપૂરો સાચવીને પછી પરોપકારના વિચાર છે. માટે જ ભવભાવના શાસ્ત્રના પ્રારંભે કહ્યું કે ‘જીવનમાં સ્વોપકાર મુખ્ય છે' ન પરોપકાર એ સ્વોપકાર સાચવીને, શક્તિ હોય તે પ્રમાણે ક૨,’
૧૭
કુળમદ એ મરીચિનો એવો તે કેવો ગુન્હો કે જેના યોગે એક કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળું દુઃખદ નીચ ગોત્ર કર્મ બંધાય ?
Jain Education International
૨૩
For Private & Personal Use Only
www.jainelibrary.org