________________
દેવ-ગુરૂનો સાક્ષાત્ કે આંતરિક ભાવનાથી ખૂબ સમાગમ કોણ નથી કરવા દેતું ? કાયા-કંચન-કામિની-કુટુંબનો બહુ રાગ અને બહુ સમાગમ. માટે એ રાગ ઘટાડવા દેવાધિદેવ અને સાધુ ૫૨ રાગ સારો જમાવવો પડે, એમની સાથે સારો સમાગમ સાધતા રહેવું પડે.
સારાંશ, અપ્રશસ્ત રાગથી છુટવા પ્રશસ્ત રાગ સારી રીતે કરવો એ ઉપાય છે, તો ગૌતમ સ્વામીજી મહારાજ આ સમજતા હતા કે ‘હજી મારે અપ્રશસ્ત રાગ સર્વથા નષ્ટ નથી થયો તો એ નષ્ટ ન થાય ત્યાં સુધી પ્રશસ્ત રાગ કરવો અતિ આવશ્યક છે'
તો હવે સવાલ એટલો કે માનો એમ કરતાં ઉત્કૃષ્ટ પ્રશસ્ત રાગથી અપ્રશસ્ત રાગ બધો છુટી ગયો, પરંતુ પ્રશસ્ત રાગ તો ઊભો રહ્યો છે ને ?
તો રાગ ઊભો ત્યાં સુધી વીતરાગ કયાંથી બનાય ?
આનો ઉત્તર એ જ કે વીતરાગ પરમાત્મા પરનો ઉત્કૃષ્ટ પ્રશસ્ત રાગ પરમાત્મા સાથે અભેદમાં લઇ જશે પછી પોતાના આત્મામાં વીતરાગ સાથે અભેદ યાને એકરૂપતા સ્થાપિત થવાની, એટલે કે પહેલાં વીતરાગ પરમાત્મા પર રાગ તે ‘વાહ મારા વ્હાલા પ્રભુ ! મારા પરમ ઉ૫કા૨ી ! હું તમારે શરણે છું, તમારૂં ધ્યાન ધરૂં છું.' એમ વીતરાગ પ્રભુ જુદા ને આપણે જુદા, એ રીતે જુદાઇ સમજીને રાગ હતો પરંતુ પછી ધ્યાનમાં એકાકારતા વધારતા ગયા એટલે વીતરાગના ગુણો સહજ ક્ષમા-બ્રહ્મચર્ય-અનાસક્તિ-નિર્વિકારતા વગેરેનું આપણામાં પ્રતિબિંબ ઝીલતા ગયા. જાણે આપણે એવા કલ્પિત ઉપદ્રવ પ્રસંગોમાં એવી ક્ષમા વગેરેનો અનુભવ કરીએ છીએ ! જેને વીતરાગના ગુણોનો અનુભવ, અભ્યાસ કહેવાય. એ કરતાં કરતાં એક દિવસ આપણે જ જાણે વીતરાગ છીએ, એમ સર્વ આસક્તિ છુટી જતાં વીતરાગ બનીએ. આમ વીતરાગ પરના રાગના ઉત્કર્ષથી અન્ય સર્વે રાગ-આસક્તિ છોડી વીતરાગમાં ભળી જતાં ભેદ ટળીને આપણે વીતરાગ બનીએ છીએ.
ભગવાન પર રાગમાં આગળ વધવાની આ પ્રક્રિયા હું ધ્યાન પર લેવા જેવી છે. ૫૨માત્મા પર રાગ કરીએ છીએ તે એમના અનંત ઉપકાર અને અનંત ગુણથી આકર્ષાઇને કરીએ છીએ. એ રાગ એટલાં બધાં વધારાનો છે કે
Jain Education International
૨૧
For Private & Personal Use Only
www.jainelibrary.org