SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ભવવિરાગ-વિષયવૈરાગ્યની પ્રેરણા પ્રથમતયા મેળવવાની છે. ‘સવ્વપાવપ્પણાસણો’ પદ યાદ કરતાં પણ સર્વ પાપમાં પહેલું પાપ વિષયરાગ છે, એનો નાશ કરનાર આ પાંચ નમસ્કાર છે એવો વિશ્વાસ ઊભો કરવાનો અને એ વિષયરાગ નાશની પ્રબળ આશંસા ક૨વાની છે. ધારિણીને પોતાના શીલનો વિચાર રહ્યો તો પુત્રી વસુમતીના શીલની ચિંતા કેમ ન થઇ કે ‘હું કદાચ મરૂં તો પછી આ બિચારીનું શીલ કેમ સચવાશે ? અથવા આ હલકા માણસના પનારે પડશે તો ?” આવો કોઇ વિચાર કરવા એ કેમ ન થોભી, ને એકદમ જ કેમ આપઘાત કર્યો ? શું પોતાના સ્વાર્થમાં સંતાનના હિતનો વિચાર નહિ કરવાનો ? ૧૪ આનું સામાધાન એ છે કે સંતાનના હિતનો વિચાર જરૂ૨ ક૨વાનો, Om પણ પોતાનું ગુમાવીને નહિ. પોતાની ઉપર એવી આપત્તિ આવી હોય કે જેમાં પોતાના આત્મહિતનું સત્યાનાશ નીકળે એમ હોય તો પહેલું એ અટકાવવું જોઇએ. માટે તો ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીએ બંધકસૂરિને ૫૦૦ શિષ્યોને લઇને એમના બ્લેનના દેશમાં જવામાં સંમતિ ન દર્શાવી. અલબત્ત, ભલે એમાં શિષ્યો બધા જ આરાધક થાય એમ હતા એટલે સીધા મોક્ષે જાય એવું હતું. કિન્તુ બંધકસૂરિ પોતે વિરાધક થાય એમ હતા, પાપી પાલકના અન્યાય પર એમને ગુસ્સો ચડે એવું હતું, અને પૂછનાર બંધકસૂરિ પોતે હતા કે ‘હું વ્હેનના દેશમાં જાઉં કે નહિ ?” જાય તો વિરાધક થાય એમ હતા એટલે પ્રભુ એમાં શા માટે સંમતિ દર્શાવે ? તાત્પર્ય, પોતાનું ખોઇને બીજાની ચિંતા નહિ કરવાની. એમ અહીં માતાને લાગ્યું કે આ સિપાઇના બોલવા પર હવે હું વિલંબ કરૂં તો મારા શીલ પર ભય છે, તેથી દીકરીની ચિંતામાં મારે મારું શીલ નહીં ગુમાવવાનું. (૨) બીજાં સમાધાન એ છે કે એણે પુત્રી વસુમતીને એવી કેળવી છે કે એને ખાતરી છે કે આ દીકરી શીલ ગુમાવે એવી નથી, તેમ હલકા માણસના Jain Education International ૧૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004962
Book TitleTarkna Tankna Shraddhanu Shilpa
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy