________________
સમા ) અહીં સમજવાનું છે કે પાયાની વસ્તુ ભવવિરાગ વિષય વૈરાગ્ય છે. (૧) અહંકાર એ મમકાર ઉપર અર્થાત્ વિષય રાગ-ભવરાગ ઉપર પોષાય છે. માટે મૂળમાં વિષયરાગ તોડવો જોઇએ. એટલા જ માટે (૨) “જયવિયરાય” સૂત્રમાં પહેલું “જનવ્વો માંગ્યું. “અહંતાણાસો' ન માંગ્યું. મનમો’ એટલે ભવનિર્વેદ, ભવવૈરાગ્ય. (૩) સમ્યકત્વ પૂર્વની અપુનબંધક અવસ્થાનું પહેલું બીજું લક્ષણ તીવ્ર ભાવે પાપ ન કરે’ અને ‘ભવરાગ ન રાખે એ બતાવ્યું. પાપનો ભય રાખવાની પાપ ઉમ્રભાવે ન થાય, ને પાપનો ભય એટલા માટે કે પાપથી ભવ વધે જન્મમરણના ફેરા વધે, ને ભવ પર નિર્વેદ છે, કંટાળો છે. અરૂચિ છે. આમાં પણ અહત્વનાશને લક્ષણ તરીકે ન મૂકતાં ભવરાગનો અભાવ, ભવ વિરાગ, ભવનિર્વેદ મૂક્યું. (૪) સમ્યકત્વના પાંચ લક્ષણમાં પણ શમ-સંવેગ-નિર્વેદ એટલે ભવનિર્વેદ.
આ બધું સૂચવે છે કે ભવનિર્વેદ-ભવવિરાગ-વિષયવૈરાગ્ય એ પાયાની વસ્તુ છે. દાનાદિ ધર્મમાત્ર માટે મુખ્ય વસ્તુ છે, અને અરિહંત ભગવાન વીતરાગ હોઇ એમના આલંબને ભવવૈરાગ્ય આવે છે. તેથી મુખ્ય પાયાની વસ્તુ ભવવિરાગને પમાડનાર અરિહંત મુખ્ય બને છે એટલે “નમો અરિહંતાણ' પદમાં “અરિહંતાણં' પદ મુખ્ય ગુણવું જોઇએ.
શ્રી નમસ્કાર-નિયુક્તિ શાસ્ત્રમાં પણ લખ્યું છે કે અરિહંતને નમસ્કાર શા માટે ? તો કે એમણે રાગ-દ્વેષ-ઇન્દ્રિય-કષાય, પરિષદ, ઉપસર્ગ એ છને નમાવ્યા છે માટે. (૧) આમાં પણ રાગને પહેલો લીધો. એ વળી (૨) પ્રભુ વતમાન વીતમદ ન કહેવાતાં વીતરાગ કહેવાય છે. એ અને (૩) માનકષાય
મે ગુણસ્થાનકે ક્ષય પામે છે, જ્યારે રાગ ૧૦ મે ગુણસ્થાનકના અંતે ક્ષય પામે છે. એ રાગની પ્રબળતા-મહત્તા સૂચવે છે. તેથી ‘નમો અરિહંતાણં' પદ જેવા સર્વોપરિ મહામંત્રથી પહેલો ઘા રાગ ઉપર પડવો જોઇએ, ને તે વીતરાગ અરિહંતને મુખ્ય કરવાથી પડે. આ હિસાબે પણ એમાં “અરિહંતાણં' પદની મુખ્યતા ગણાય.
સારાંશ, નમસ્કાર મહામંત્રમાં જ્યારે અરિહંત આદિ પાંચ પરમેષ્ઠીનાં પદ મુખ્ય છે. તો એ પરથી ફલિત થાય છે કે નવકારમંત્રની આરાધનામાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org