________________
રીતે કર્યા? પરોપકાર શી રીતે કર્યો ? ચારિત્ર શી રીતે લીધું? શી રીતે પાળી રહ્યા છો ? બધાનો જવાબ એક, કે મુખ્યતા અરિહંત પરમાત્માના પ્રભાવે, અરિહંતપ્રભુની કૃપાથી બધું બની શકે છે.
બીજાં કારણો સાધારણ અને અરિહંતનો પ્રભાવ અસાધારણ કારણ છે.
આમ, અરિહંતનો પ્રભાવ મુખ્ય કારણ એટલે કે અરિહંત પ્રભુ જ મુખ્ય કારણ છે. એથી નમસ્કાર ક્રિયામાં પણ અરિહંત, અરિહંતનો પ્રભાવ મુખ્ય કારણ છે. વાત પણ બરાબર છે, કેમકે અરિહંત છે તો જ અરિહંત-નમસ્કાર છે, કિન્તુ એમ નહિ કે નમસ્કાર છે તો જ અરિહંત છે. નમસ્કાર ન કરો તો ય અરિહંત તો છે જ. જ્યારે અરિહંત ન હોય તો અત્ નમસ્કાર નહિ જ બનવાનો. આમ, મુખ્યતા નમસ્કારની નહિ, પણ અરિહંતની છે. નમસ્કાર પણ બીજી શુભ પ્રવૃત્તિની જેમ અરિહંતને આધીન છે, તો સ્પષ્ટ છે કે મુખ્યતા અરિહંતની છે.
આ હિસાબે જોઇએ તો “નમો પદ કરતાં “અરિહંતાણં' પદની મુખ્યતા ગણાય. એ જ પ્રમાણે નવકારમંત્રમાં પંચ પરમેષ્ઠીની મુખ્યતા કહેવાય. એ હિસાબે જ આને પરમેષ્ઠી મન્ત્ર કહે છે.
શંકા તો પછી “નમસ્કાર મહામંત્ર' કહેવાય છે એનું શું?
સમાવેઃ એ કહેવાય છે તે આવાં “નમો પદ પાંચે ય પદોમાં સામાન્ય છે માટે કહેવાય છે.
ખેર, પણ “અરિહંતાણં મુખ્ય છે તો એને પહેલું ન મૂકતાં ‘નમો’ પદ કેમ પહેલું મુક્યું?
એ એટલા માટે કે અરિહંત મુખ્ય ખરા, પરંતુ એમના સુધી પહોંચવું હોય તો નમસ્કાર દ્વારા પહોંચી શકાય, એ બતાવવા “નમો પદ પહેલું મૂક્યું. અરિહંતને નમસ્કાર નથી કરવો તો અરિહંત દિલમાં નહિ આવી શકે, દિલથી અરિહંતને મળી નહિ શકાય.
શંકાઃ “નમો અરિહંતાણં' માં જો અરિહંત મુખ્ય છે, નમસ્કાર નહિ, તો પહેલાં જે કહ્યું “પાયામાં અહંકાર તોડવાનો છે ને તે નમસ્કારથી તૂટે” એનું શું? નમસ્કાર એ મુખ્ય નહિ, તો અહંકાર નાશ પણ મુખ્ય નહિ બને, એટલે એ પાયાની વસ્તુ નહિ બને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org