SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ‘નમો’ ન આવે તો અનંતા અરિહંતો કંઇ નથી કરી શકતા તો ‘નમો અરિહંતાણં' માં નમો મુખ્ય છે કે અરિહંતાણં મુખ્ય ? આ સવાલના જવાબમાં સામાન્યથી જોતાં એમ લાગે કે ‘નમો’ પદ Om પહેલું મૂક્યું છે ‘અરિહંતાણ નમો' નથી કહ્યું, પણ ‘નમો અરિહંતાણ કહ્યું તેથી ‘નમો’ પદ મુખ્ય છે.’ વળી ‘નમો’ નો અર્થ નમસ્કાર, એ પહેલું જરૂરી કર્તવ્ય છે, કેમકે જીવને અહંકાર મારે છે. ‘અદ મમેતિ મન્રોડ્યું મોહસ્ય ન વાન્ધ્યવૃત્’ અર્થાત્ ‘હું’ અને ‘મારું’ એ મોહનો જગતને અંધ કરનારો મંત્ર છે. અહંત્વ છે, કોઇને નમવું નથી, મોટા ત્રિલોકનાથ પ્રભુને પણ નમવું નથી. ત્યાં સુધી એ પ્રભુનું શરણ નહિ લેવાય, એમના કહેલા માર્ગે નહિ ચલાય અને આપમતિએ ચાલતા સંસારયાત્રા ચાલુ રહેવાની. આ હિસાબે જ અહંકારને પહેલો તાડવો જોઇએ, ને એ તોડવા માટે નમસ્કાર મુખ્ય ઉપાય છે. તેથી નમસ્કાર પહેલું કર્તવ્ય છે ને એટલે જ ‘નમો અરિહંતાણ’ માં ‘નમો’ પદની મુખ્યતા છે. સામાન્ય જોતાં આમ લાગે. ૧૩ પરંતુ આની સામે પ્રશ્ન છે કે એમ ‘નમો' પદને અને એના અર્થ નમસ્કા૨ને મુખ્ય ક૨વા જતાં ‘અરિહંતાણં’ પદ ગૌણ થશે એટલે પદનો અર્થ ‘અરિહંત’ ગૌણ થશે. જ્યારે હકીકતમાં ‘અરિહંત’ તો સર્વ શુભ કાર્યમાં પ્રધાન કારણ છે. યાવત્ ત્યાં સુધી કહ્યું કે ‘કાળ સ્વભાવ ભવિતવ્યતા, એ સઘળાં તારા દાસો રે, મુખ્ય હેતુ તું મોક્ષનો, એ મુજને સબળ વિશ્વાસો રે' અર્થાત્ મોક્ષનું પણ મુખ્ય કારણ અરિહંત, ભવિતવ્યતા આદિ પાંચે કારણો અરિહંત પ્રભુના દાસ છે. અર્થાત્ અરિહંતને આધીન બની કામ કરે છે. અરિહંતને જે શરણે ગયો, સમર્પિત થયો એને ભવિતવ્યતા વગેરે અનુકૂળ બની જાય છે. એટલે પાંચ કારણની અનુકૂળતાના પ્રભાવે શુભ કાર્ય થાય, પરંતુ એના પર પણ મુખ્ય પ્રભાવ અરિહંતનો કામ કરે છે. માટે તો, શ્રી લલિતવિસ્તરા શાસ્ત્રની ટીકામાં લખ્યું કે ‘એક શુભ અધ્યવસાય પણ ભગવત્-પ્રસાદલભ્ય છે’-અરિહંત ભગવાનના પ્રભાવે પ્રાપ્ય છે. આ જોતાં સમજાય એવું છે કે એક શુભ ભાવમાં ય જો અર્હત્પ્રભાવ કારણ તો નમસ્કાર આદિ સર્વ શુભ પ્રવૃત્તિમાં પણ એ જ કારણ હોવામાં શંકા નથી. દેવદર્શન શી ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004962
Book TitleTarkna Tankna Shraddhanu Shilpa
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy