________________
હોય તો ય એ દ્વેષ એ ઓરમાન માતાને એની સાચી ઓળખ નથી થવા દેતો. લોભિયા શેઠને ધુતારા નોકરની સાચી ઓળખ નથી થતા. માટે તો કહેવત છે લોભિયો હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે ! લંપટ પતિને પત્નીની સાચી ઓળખ નથી થતી. દુશ્મન પર હાડોહાડ દ્વેષ છે તો દુશ્મન દાનો પણ હોય છતાં એની સાચી ઓળખ નહિ થાય.
આ અનુભવ-સિદ્ધ વસ્તુ છે કે જે વ્યક્તિ પર આપણને રાગ-દ્વેષ નથી હોતા, એના ગુણ-ગુણ રૂપ અને દોષ-દોષરૂપ દેખાય છે. અલબત્ત એના દોષ તરફ ધ્યાન ન લઈ જવું. દોષદ્દષ્ટિ ન રાખવી, એ જાદી વસ્તુ છે, પરંતુ આ હકીકત બતાવે છે કે વસ્તુ-સ્થિતિનું સાચું ભાન રાગ-દ્વેષ ઊભા હશે તો વસ્તુનું સાચું ભાન નહિ થાય.
એટલે ભગવાનને ઇંદ્રભૂતિ વગેરેને તત્ત્વોનો સાચો બોધ કરાવવા માટે પહેલાં ચારિત્ર આપ્યું જેથી રાગ-દ્વેષ ન રહે તો તત્ત્વનું ચિંતન રાગ-દ્વેષ વિના કરી શકે.
૧૨
ચારિત્રથી રાગ-દ્વેષ શી રીતે ટળે? કહો, રાગ-દ્વેષને જગાવનાર હિંસા-પરિગ્રહાદિ પાપ પ્રવૃત્તિઓ. એ જો ભીષ્મ પ્રતિજ્ઞા સાથે બંધ કરાય યાને પ્રતિજ્ઞાબદ્ધ સર્વવિરતિભાવ લવાય તો રાગ-દ્વેષ ટળે. વિરતિ એટલે સાવદ્ય
પ્રવૃત્તિનો પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ. “સાવદ્ય' એટલે અવદ્ય પાપવાળી પ્રવૃત્તિ, સપાપ, પ્રવૃત્તિ, એ ન કરવાની પ્રતિજ્ઞા કરી, પચ્ચકખાણ કર્યા એટલે મનમાંથી એની અપેક્ષા પણ ગઈ કે “આમ તો મારે હિંસા પરિગ્રહ નહિ પણ જરૂર પડ્યે હું આ સાવદ્ય હિંસાદિ-પ્રવૃત્તિ કરીશ. જરૂર પડ્યે આ વસ્તુનો પરિગ્રહ રાખીશ' આવી અપેક્ષા પણ કાઢી નાંખી, એટલે પછી એ વસ્તુ અંગે રાગ-દ્વેષ નહિ રહે તેથી એનો સાચો ખ્યાલ આવી શકશે. સાચો બોધ થશે.
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org