________________
(૧) પુત્રે કે શિષ્ય ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતાનો શુભ ભાવ ન રાખતા હરામ હાડકાપણાનો મલિન ભાવ રાખ્યો, કૃતજ્ઞતા કે હરામહાડકાપણું એ પરિણતિ છે. પરિણતિ હરામખાઉપણાની આવી એટલે ગુરૂજન પૂજાની શુભ વૃત્તિ ખલાસ થઇ ગઇ. એમ, . (૨) પાછું હાડકા હરામ માત્ર ઉપકારી માતા-પિતા કે ગુરૂ પ્રત્યે જ છે, પણ પોતાના સ્વાર્થના કામમાં નહિ. સ્વાર્થના તો બધાંજ કામમાં હાડકાં આખાં છે, તે બધાં જ કામ બરાબર સાધે છે. એટલે અંતરમાં નકરી સ્વાર્થવૃત્તિની મલિન આત્મ-પરિણતિ બરાબર જાગતી છે, માત્ર પરાર્થવૃત્તિની આત્મપરિણતિ નહિ. એમ,
(૩) માતા-પિતા કે ગુરૂના અનહદ ઉપકાર ભૂલે એટલે એમના પ્રત્યે બહુમાન, “અહો અહો ભાવ જાગતો ન રહે, પણ ઉપેક્ષાભાવ ને અવગણનાભાવ જાગતો રહે. પૂછો, શું મા-બાપ કે ગુરૂ પ્રત્યે અવગણના ભાવ રહે ? હા, ઉપકારને સુખશીલપણા કરતાં અત્યંત કિંમતી લેખવાનો જ નહિ! ઉપકારને કાંઇ બહુ ગણવાનો જ નહિ! એ અવગણનાભાવ છે. આ અશુભ ભાવ છે, આત્માની મલિન પરિણતિ છે.
હરામહાડકાપણું નકરી સ્વાર્થવૃત્તિ અને અવગણના ભાવ આ મલિન પરિણતિઓ કેમ આવી ? કહો, શરીરથી સેવાનાં કામની ક્રિયા નથી કરવી પણ શરીરને સુખશીલ રાખવું છે. માટે એ મલિન આત્મ પરિણતિઓ આવી. એટલે શરીરની સુખશીલતાની પ્રવૃત્તિ સાથે એ મલિન આંતર પરિણતિ સંકળાયેલી છે. જો બહારથી સેવાની શરીર-ક્રિયા કરે, તો અંતરમાં કૃતજ્ઞતા, પરાર્થવૃત્તિ અને વડિલ-બહુમાનની શુભ પરિણતિ જાગતી રહે છે. તેથી શરીર-ક્રિયા સાથે આત્મ પરિણતિ સંકળાયેલી રહે છે એ સાબિત થાય છે.
એટલે કોઈ કહેતું હોય
શરીરની ક્રિયાથી પૌદ્ગલિક શરીરને વ્યાયામ ને પુષ્ટતાનો લાભ થાય, પણ અરૂપી આત્માને શો લાભ? જડની ક્રિયાથી જડ પર અસર થાય. શરીરક્રિયાથી આત્મા પર શાની અસર થાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org