SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ વિચરવાનું અને લોકોને ઉપદેશ આપવાનું ન કર્યું, પરંતુ જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી ભૂખ્યાને ચોવિહાર ઉપવાસ સાથે એક જ સ્થાને કાયોત્સર્ગ ધ્યાનમાં મહાકષ્ટ ઉપાડયા! મહાકષ્ટ કેમ? તો કે દિવસો અને મહિનાઓ સુધી ભૂખ્યાને તરસ્યા ખડા ખડા જ રહેવાનું! જમીન પર બેસવાની વાત નહીં, તો સુવાની વાતે ય શી ? કાયોત્સર્ગ એટલે માખી મચ્છર ઉડાડવાની ય વાત નહિ. બાર મહિના સતત આ મહાકષ્ટ ઉઠાવ્યા ત્યારે આત્માની કષાય પરિણતિ અભિમાનની પરિણતિ એવી શિથિલ પડી, કે હવે બ્લેન સાધ્વીઓનાં વચન પર બોધ લાગી જતાં કષાય પરિણતિ તદ્દન ખલાસ થઈ ગઈ, ને કેવળજ્ઞાની નાના ભાઇઓને વંદન કરવા જવા પર ઉપાડતાં જ કેવળજ્ઞાન પામ્યા! પ્રતિક્રમણથી શો લાભ? હવે પાપ ન કરવાની પ્રતિજ્ઞા વિરતિ કરીએ એટલે અવિરતિથી બંધાતા કર્મ બંધાવાના અટકી જાય, અને વિરતિથી નવા પાપ ન સેવાય એ લાભ ખરો, પરંતુ ભૂતકાળમાં તો પાપો સેવાઇ ગયા તે સેવાઇ ગયા, હવે એના પ્રતિક્રમણથી શો લાભ? પાપતીવ્ર ભાવે સેવાઇ ગયા અને એનાથી કદાચ નિકાચિત કર્મ બંધાઈ ગયા, તો એ કર્મ ભલે હવે પ્રતિક્રમણથી ન તૂટે, નિકાચિત કર્મ તો આગળ ભોગવવા જ પડવાના, પરંતુ એ અશુભ કર્મની સાથે તીવ્ર સંકલેશથી જે અશુભ અનુબંધ બાંધેલ. અર્થાત્ પાપ સંસ્કાર ગાઢ કરેલ, તે હવે સાચા દિલના પ્રતિક્રમણથી પાપની નિંદા-ગર્તા-સંતાપથી એ અશુભ અનુબંધ તૂટતા આવે. અને કર્મ નિકાચિત ન કર્યા હોય એ ય તૂટવા માંડે. પ્રતિક્રમણનો આ મોટો લાભ છે. તેમજ ભૂતકાળના પાપનાં પ્રતિક્રમણથી પાપ ઉપર સાચી હેય બુદ્ધિ થાય તો વર્તમાનમાં એ ખરેખરા હેય લાગીને એનો વાસ્તવિક ત્યાગ થાય, વિરતિભાવ આવે, નહિતર તો જો ભૂતકાળમાં કરેલા એ તો ઠીક જ કર્યા લાગતું હોય, તો વર્તમાનમાં પ્રતિજ્ઞા ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004962
Book TitleTarkna Tankna Shraddhanu Shilpa
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy