________________
તો કહે છે. “ધર્મનો પુરૂષાર્થ કરો. એમાં ગફલતમાં ન રહો. “સમય ગોયમાં માં પમાયએ!” “હે ગૌતમ! ધર્મ પુરૂષાર્થમાં એક સમય (ક્ષણનો અસંખ્યાતમો ભાગ) પણ પ્રમાદ ન કરીશ.” આમ પુરૂષાર્થ પર ભાર મુક્યો “શરીર, ભારંડ પકખીવ ચરેડપમત્તો,” અર્થાત્ “કાળ ભયાનક છે, અને શરીર દુર્બળ પડવાના સ્વભાવવાળું છે. (કાળ અને શરીર ક્યારે ઠગી જાય એનો પત્તો નથી.) માટે ભારડ પક્ષીની જેમ સતત અપ્રમત્ત રહે,” તાત્પર્ય, સતત ધર્મપુરૂષાર્થી બન્યો રહે.
આ બધામાં પુરૂષાર્થની જ વાત છે, કાળ પાકવાની વાત ક્યાં છે ? તો સવાલ ઊભો રહે છે કે “પ્રભુએ બાહુબળ મુનિને સંદેશો મોકલવામાં કેમ વિલંબ કર્યો ?”
અગર કહો, “પ્રભુ ત્રિકાળજ્ઞાની છે, એમણે તરત સંદેશાથી બોધ થવાની યોગ્યતા ન જોઇ. માટે વિલંબ કર્યો, તો અહીં પણ આ જ સવાલ છે કે “બાહુબળ જેવા યુદ્ધભૂમિ પર વૈરાગ્ય પામી સર્વત્યાગ કરનાર મહામુનિ માટે પ્રભુએ તરતમાં કેમ યોગ્યતા ન જોઇ, અને કેમ વર્ષ પછી યોગ્યતા થવાનું જોયું?”
આનો જવાબ સીધો છે. પ્રભુ જુએ છે કે બાહુબળ મહામુનિને બાર મહિનાના ભારે ધર્મકષ્ટો ઉઠાવવા દો, એથી એમના અભિમાન-કષાયના કર્મ અને એમના આત્માની કષાય પરિણતિ શિથિલ પડશે. શિથિલ પડેલ કષાય પરિણતિને તો જતાં વાર નહિ લાગે.” માટે પ્રભુએ સંદેશો તરત ન મોકલતાં વર્ષ પછી મોકલ્યો.
આ સૂચવે છે કે રાગ-દ્વેષ અભિમાન વગેરે કષાયની પરિણતિ જોરદાર હોય ત્યાં સુધી જ્ઞાનીનાં વચન (શાસ્ત્રવચન)થી બોધ ન લાગે. કષાય પરિણતિ શિથિલ પડે ત્યારે બોધ લાગે, ને એ કષાય પરિણતિ શિથિલ પાડવા માટે શ્રેષ્ઠ ઉપાય છે ધર્મના કષ્ટ ઉઠાવવા, અર્થાત્ કષ્ટમય ધર્માચારોનું પાલન કરતા રહેવું.
એટલા જ માટે બાહુબળ મુનિએ કેવળજ્ઞાન અર્થે કર્મક્ષય કરવા અને રાગાદિકષાયપરિણતિનો હ્રાસ કરવા દીક્ષા પછી દેશમાં આરામથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org