SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ અપરંપાર આનંદ હોય. એટલા માટે જ અહીં પ્રભુ આગળ દેજો સુખનો પોષ” કહીને ગુણોના સુખ (આનંદ) નો પોષ માગ્યો. 0 | શ્રી ઋષભદેવ ભગવાને બાહુબલી મુનિને બૂઝવવા બહેનોને કેમ વરસ | | મોડી મોકલી ? બાહુબળમુનિ દીક્ષા લઇ ત્યાં જ કાયોત્સર્ગ ધ્યાને રહેવા પર, પ્રભુએ કેમ તરત બહેનોને ન મોકલી ? “અભિમાનના હાથીથી નીચે ઉતરો એ ન સંભળાવ્યું? જો એમ કહીએ કે “બોધ થવાનો કાળ પાક્યો નહોતો તેથી' તરતમાં IrTM બહેનોને ન મોકલી', તો સવાલ એ થાય કે તો પછી શું બોધ થવા માટે કાળ પસાર થાય ત્યારે જ જીવ ચરમાવર્તમાં આવે ? ત્યાં ચરમાવર્તિમાં આવવા માટે પુરૂષાર્થની મુખ્યતા નહિ, પણ કાળની જ મુખ્યતા, પરંતુ ચરમાવર્તકાળમાં એમ ન કહેવાય કે “કાળની મુખ્યતા છે, કાળ પાકે એટલે બોધિ થઇ જાય, તો તો પુરૂષાર્થ પર કશું જોર જ આપવાનું ન રહે. એમ જ અમુક કાળ પસાર થઇ જાય એટલે કાળ પાક્યો કહેવાય ને બોધ થઇ જવો જોઇએ. પરંતુ એવું નથી, એમ તો અનંતાનંતકાળ પસાર થઇ ગયો છતાં કાળ નથી પાક્યો ને બોધ નથી થયો. એટલે કાળ પાકવાનો આધાર માત્ર એકલો કાળ પસાર થવા પર નથી. તો હવે સવાલ આ આવે કે કાળ પછીથી પાક્યો એનું શું કારણ? બોધ થવામાં ઉપાદાન અને નિમિત્ત કારણ કરતાં શું કાળ પ્રધાન કારણ છે ? જૈન શાસ્ત્રો તો બોધ અને આચરણમાં પુરૂષાર્થને મુખ્ય કારણ કહે છે, તેનું શું ? અહીં બોધ લાગવામાં બાહુબળ મુનિનો આત્મા ઉપાદાન છે એ હાજર છે, અને નિમિત્ત કારણ પ્રભુ તરફથી બહેન સાધ્વીઓ દ્વારા સંદેશો, એ પણ હાજર થઇ શકત પછી બોધને શાથી વાંધો આવતે? ત્યારે ભગવાન કાંઇ એવું નથી કહેતા કે, “ઉત્પાદન અને નિમિત્ત ગમે તેટલા હાજર છતાં જો કાળ નહિ પાક્યો હોય તો તમારું કાંઇ વળવાનું નથી માટે તમે કાળ પાકવાની રાહ જુઓ.” ભગવાન આવું કહેતા નથી. ભગવાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004962
Book TitleTarkna Tankna Shraddhanu Shilpa
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy