________________
રૂપિયા, શરીર, વિષયોપભોગ વગેરે જતા કરવાની તૈયારી હોય, જતા કરાય, તો જ હૈયે ઉદ્ધારક તત્ત્વો ખરેખર વસી જાય. બાકી રૂપિયા શરીર વગેરે બહુ વ્હાલા કરવાથી એ વસવાના ફાંફા. દા.ત. મહાન પર્વ ચૌદશે પણ હૈયે ઘીદૂધ-મીઠાઇ વ્હાલા રાખી એના ત્યાગ નથી કરવા, તો એ હૈયે ચૌદશ શી રીતે ? મમતાથી વસી જાય ? એવું બીજે. માટે સારી વસ્તુ હૈયે વસાવવા તન-ધનઅમનચમનના ભોગ આપવા પડે.
'
III
[ 0 ] પાસે પૈસા છતે દાન પુણ્ય કરી શકતા હતા. પૈસા ગયે એ કરવાનું | [૧૩] બંધ પડ્યું ત્યાં દાનમાં આત્માનું સ્વાતંત્ર્ય ક્યાં રહ્યું? કર્મની જ
' આધીનતા રહી ને ?એમ, શરીર સારું છે તે તપ કરી શકતા હતા, શરીર પડયે તપ નથી થઇ શકતો; એમાં ય કર્મની જ આધીનતા રહી ને? ધર્મ કરવામાં આત્માનું સ્વાતંત્ર્ય ક્યાં રહ્યું?
અહીં જ ભૂલા પડાય છે. ધર્મ એટલે માત્ર બાહ્ય દાન કે બાહ્ય તપ જ સમજી રાખ્યો તેથી ભૂલા પડ્યા. ધર્મ અનેક પ્રકારે છે. એમાં દા.ત.
જેમ બાહ્ય દાન કરવું એ ધર્મ છે, પણ પૈસા ખોવાયે અંતરમાં પૈસાને ચંચળ-તુચ્છ માનવાનું કરવું એ ય ધર્મ છે. “પૈસા પાપ કરાવનારા, પૈસા ચંચળ, આત્માના સમભાવ આગળ પૈસા તુચ્છ, એમ માની પૈસા ગયાનો કશો શોક ન કરાય, ચિત્તમાં સમતા-સમાધિ રખાય, એ મોટો ધર્મ છે. દાન ધર્મ નાનો, પણ પૈસાની મૂર્છાનો ત્યાગ, પૈસાના મહત્ત્વનો ત્યાગ અને સમતાભાવ મોટો. આ ત્યાગમાં આત્માનું સ્વાતંત્ર્ય છે.
પૈસાના અભાવમાં શોક નહિ, મૂચ્છ-તૃષ્ણા નહિ, એ પૈસાથી થતાં દાન કરતાં મોટો ધર્મ છે.
વળી પૈસા ગયા તો બાહ્ય દાનનો ધર્મ અટક્યો, પણ જિનભક્તિસામાયિક-શાસ્ત્રસ્વાધ્યાય વગેરે ધર્મ હાથમાં છે. એમાં આપણું સ્વાતંત્ર્ય છે. ધારીએ તે પ્રમાણે કરી શકાય. હૈયે મૈત્રીભાવ, કરૂણાભાવ, ગુણાનુરાગ, દેવગુરૂ-ધર્મપ્રીતિરૂપ સંવેગ, વિષયવૈરાગ્ય, સંઘ-વાત્સલ્ય. ઉપબૃહણા વગેરે ધર્મ વધારવામાં આત્માનું સ્વાતંત્ર્ય છે. ત્યાં કર્મની ગુલામી નથી પણ ધાર્યા
૧૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org