________________
ના, રૂપિયા રાખી મૂકીને ધ્યાનથી પતાવવું છે, એનો અર્થ એ કે " હૈયે શ્રીસિદ્ધગિરિ કરતાં રૂપિયા પર વધારે મમત્વ છે. તો જે
હૈયામાં આ રૂપિયા જોરદાર વસેલા હોય એ હૈયામાં શ્રી સિદ્ધગિરિને વસવા માટે જગ્યા જ નથી. હૈયામાં વસેલા એ રૂપિયા શ્રી સિદ્ધગિરિને અંદર પેસવા જ ન દે, હૈયામાં વસવા જ ન દે. હૈયામાં વસી જવાનો અર્થ જ એ, કે હૈયે એના પર જોરદાર મમત્વ રહે.
પરંતુ “શ્રી સિદ્ધગિરિ ! તમે વ્હાલા, પરંતુ તમારા કરતાં મારા રૂપિયા, મારૂં શરીર, મારા વિષયોપભોગ મને વધારે વહાલા.” એટલે શ્રી સિદ્ધગિરિ ! તમારી ખાતર મારા ધન-શરીર-વિષયોપભોગને ન તોડી નાંખું!' તમારાથી હજી મને રૂપિયા મળતા હો, મારું શરીર તગડું દીર્ઘજીવી થતું હોય, મને સારા સારા વિષયો મળતા હો, તો ભલે મળો, એ મારે ખપે છે. અર્થાત્ તમારી સેવામાં મારાં રૂપિયા-શરીર-વિષયો ન કામ લાગો, ઉપયોગી ન થાઓ; પણ એ ધન આદિની સેવામાં તમે ઉપયોગી થતા હો તો એ રૂડું રૂપાળું.”
આમ જો શ્રીસિદ્ધગિરિની સેવામાં, (૧) પાસે રૂપિયા છે છતાં, ખર્ચવા નથી, (૨) પાસે માનવશરીર છે છતાં તપથી શરીર સુકવી નાંખવું નથી, (૩) પાસે જે વિષયો છે એના ઉપભોગ છોડી ત્યાગ નથી કરવા, તો આ તુચ્છ ચીજોથી ભરેલા હૈયામાં અનંત મહિમાસંપન્ન શ્રી સિદ્ધગિરિ શી રીતે વસી જાય ? શું ભીલડાઓથી વસેલા મકાનમાં મોટો ચક્રવર્તી જઇ વસતો હશે ? જે હૈયામાં હાલથી વેશ્યા વસાવી હોય એ હૈયામાં પોતાની સતી પત્ની વસતી
હોય ?
વાત આ છે, પૂર્વજોએ શ્રી સિદ્ધગિરિ પાછળ ક્રોડો અબજો રૂપિયા ખર્મા તે હૈયામાંથી એનો વસવાટ કાઢી શ્રી સિદ્ધગિરિને હૈયામાં વસાવવા માટે. જેથી અનંતાનો ઉદ્ધારક અનંતાને વિશુદ્ધ પરિણામ કરાવનાર ગિરિરાજ હૈયે વસી જવાથી પોતાને પણ એવા વિશુદ્ધ પરિણામ જાગી જલ્દી મોક્ષ થાય.
આવું બીજે પણ લાગુ પાડવાનું છે. આત્માના ઉદ્ધારક જિનમંદિર, ભગવાન, ગુરૂ, શાસ્ત્ર, પર્વ, સંઘ, ધર્મસ્થાનો વગેરેની સેવામાં પોતાની પાસેના
૫ ૧૬૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org