SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ કારણ કહી. ભવિતવ્યતા જ એવી કે ગોશાળો પ્રભુને પૂછે, અને પ્રભુ એને તેજલેશ્યાની વિધિ બતાવે. સામાન્ય હિસાબ આ, કે જે ઘટના પ્રત્યે કાળ, સ્વભાવ, કર્મ અને પુરુષાર્થ જવાબ નથી આપી શકતા, ત્યાં કારણભૂત ભવિતવ્યતા છે. આમ ભવિતવ્યતા એ પણ સ્વતંત્ર વસ્તુ છે, કિન્તુ કાળ વગેરેનું સર્જન નહિ, કે એનો પેટભેદ નહિ. કોઈ પણ ધર્મ મન-વચન-કાયાથી કરવાનો કહ્યો છે, પરંતુ શ્રદ્ધા, ભાવના વગેરે તો મનથી જ થવાના, કાયાથી શી રીતે ? એમ દાન, તપ, ક્રિયા વગેરે તો કાયાથી થાય, મનથી કેવી રીતે ? મનથી સાધ્ય જે ધર્મો છે. એને અનુરૂપ કાયાની પ્રવૃત્તિ કરાય તે કાયાથી એને સાધ્યો કહેવાય દા.ત. જિનેશ્વરદેવ પર રાગ છે, તો એમનું નામ સાંભળતાં, મૂર્તિ જોતાં, કે યાદ કરતાં મોં પર હર્ષની રેખા ચમકે, હાથ જોડાઇ જાય, માથું નમી જાય, એ કાયાથી ધર્મ થયો ગણાય. એમ અનિત્ય આદિ ભાવનાઓને અનુરૂપ મોંની ગંભીર સુરત, જડને લેવામૂકવામાં કાયિક બેપરવાઇ, વગેરે થાય તે કાયાથી ધર્મ થયો કહેવાય. ત્યારે જે ધર્મ કાયાથી કરવાનો છે, દા.ત. તીર્થયાત્રા, દાન, તપ વગેરે, એનાં કરેલાનાં સ્મરણ થાય, યા કરવાના મનોરથ થાય, અથવા મનથી જાણે સાક્ષાત્ સેવીએ છીએ એવી ભાવના કરાય દા.ત. તીર્થયાત્રામાં સિદ્ધગિરિનું તળેટીથી ચડાવાથી માંડીને દાદાને ભેટવા-ભજવા સુધીનું ચિંતન કરાય, એ બધું મનથી ધર્મ સાધ્યો કહેવાય. વચનથી સાધવામાં એની પ્રશંસા થાય, સ્તુતિ થાય, એનો ઉપદેશ કરાય, વગેરે આવે. આમ, દરેક ધર્મો મન-વચન-કાયાથી થઇ શકે છે. કર્માશા વગેરેએ રૂપિયા ખર્ચા વિના હૈયામાં શ્રી સિદ્ધગિરિનું | વારંવાર ધ્યાન ધર્યું હોત તો શું એ હૈયેન વસી જાત? ૧૩૦ ૧૬૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004962
Book TitleTarkna Tankna Shraddhanu Shilpa
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy