________________
એ માટે ઇન્દ્રિયો વાણી વગેરેના અસંયમ સંબંધી અસત્ પુરુષાર્થની એ રાગાદિને સહાય ન દઇએ. જે પુરુષાર્થ આપણા હાથની વાત છે, એને શા સારૂં ખોટી રીતે ભાગ્યને આધીન ગણીએ ? કોઇના પર ગુસ્સો અંતરમાં ઊઠ્યો, એ ભલે કર્મવશ હોય, પરંતુ હવે મોંની મુદ્રા બગાડવી, આંખની ભ્રમર ચઢાવવી, તોછડા બોલ કાઢવા, એ બધો અસંયમ આપણા પુરુષાર્થને આધીન એટલે કે આપણને આધીન છે. આપણે ક૨વા હોય તો થાય, ન ક૨વા હોય તો ન જ કરીએ. જરા ગમ ખાઇ લીધી, વિચારી લીધું કે ‘શા ગુસ્સા દેખાડવા’તા ? દયા જ ચિંતવો, ભવિતવ્યતાની લાંબી સીરિયલમાં લાંબી કડીબદ્ધ ઘટમાળામાં આ નુકશાન આમ જ નિર્ધારિત થયું હશે.' અથવા ‘જાણે મારી ધર્મગરજ માપવા કસોટી મૂકી હશે.' તો અસંયમનો પુરુષાર્થ જ ન કરીએ આ આપણા હાથની વાત છે.
સાત્ત્વિકતા સત્ત્વહીનતાની વહેંચણ :
પ્ર. કેટલાકને એમ લાગે છે કે શું એમ ઠંડા રહીએ એમાં સત્ત્વહીનતા
નથી?
ઉ. ના, એમાં તો ઉલ્ટું સત્ત્વનો વિકાસ છે. જરાક બારિકાઇથી જોઇએ તો દેખાય છે કે અસંયમની પ્રવૃત્તિ કરવામાં જે તાકાત જોઇએ છે, એના કરતાં અસંયમ ન કરવા માટે કઇ ગુણી તાકાત, શક્તિ જરૂરી છે. પોતાનાથી વધુ બળવાન સાથે હિંમતભેર બાઝવામાં શક્તિ જોઇએ છે ખરી, પરંતુ પોતાનાથી નબળાને દબાવવા-ધમકાવવાની તાકાત અને અવસર છતાં નિર્ધારપૂર્વક તેમ ન કરી સંયમ રાખવામાં ઘણી ઘણી તાકાત જોઇએ છે. એમાં સત્ત્વહીનતા છે. અધિકબળી સામે પણ, સંયમ રાખવો એ પણ અંતરના સત્ત્વનું જ કાર્ય છે.
એમ વસ્તુ કોઇ બળવાન પાસેથી પણ ઝુંટવી લેવામાં જે તાકાત જોઇએ, એના કરતાં ભલે વસ્તુ નથી મળતી, છતાં એની આશા છોડી મનને વિરક્ત રાખવામાં લાખોગુણી શક્તિ જોઇએ. એ કરતાં પણ વસ્તુ સ્વાધીન છે, ભોગવી શકે એમ છે, છતાં એનાથી વિરક્ત-વિરત બનવામાં કેઇ ઊંચી શક્તિ-સત્ત્વ ખર્ચવું જોઇએ છે. આશાઓમાં તણાવું, મળ્યું ભોગવી લેવું, લેવા મથવું, એમાં તો સત્ત્વહીનતા પોષાય છે. વાત એ જ આવીને ઊભી રહે છે કે
Jain Education International
૧૫૭
For Private & Personal Use Only
www.jainelibrary.org