SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ એક વાત અહીં એ જાઓ કે, રાગ વિના અસંયમ ન થાય એ વાત સાચી છે પરંતુ એથી વધારે મહત્ત્વનું તો એ છે કે અસંયમથી રાગ સ્થિર થાય છે, પુષ્ટ થાય છે, વૃદ્ધિ પામે છે. ત્યારે અખંડ ધારાએ સંયમ રખાય તો રાગ ઘસારે પડે છે. એમ તો જો સંયમથી રાગ ઘસારે ન પડતો હોત તો તો મોક્ષ થઇ શકે જ નહિ. માટે વાત આ છે કે જો રાગપ્રેરક પ્રસંગ છતાં અસંયમથી રાગની પુનરાવૃત્તિ કરવાનું ન કરો તો રાગ ઘસારે પડે એવો છે. પરંતુ પ્રસંગે પ્રસંગે મન અને ઇન્દ્રિયોરૂપી ઘોડા છૂટા મૂકાય છે, સંયમ રખાતો નથી, તેથી રાગની પુનરાવૃત્તિ થાય છે અને એ દ્દઢ બનતો જાય છે. એટલે ખરો વાંક અસંયમનો (૨) અસંયમ રોકવાનો પુરુષાર્થ હાથની વાત છે : બીજી વાત એ છે કે રાગ પૂર્વના રાગમોહનીય કર્મના ઉદયથી જાગે છે. ત્યારે અસંયમ અસત્ પુરુષાર્થથી જાગે છે. અહીં જાઓ કે કર્મફળને અટકાવવાં કઠીન છે. ત્યારે અસત્ પુરુષાર્થને દબાવી શકાય છે. માટે અસંયમને દબાવવાનું સહેલું છે, તેમજ કહો કે રાગને દબાવવા માટે પહેલી ભૂમિકા પણ આ જ છે કે અસંયમને દબાવતા આવો. ભલેને અંતરમાંનો રાગ અસંયમને પ્રેર્યા કરતો હોય, પરંતુ જો સંયમ, નિયમ, બાધા રાખી આંખને રૂપ જોવા તરફ, જીભને રસ ચાખવા તરફ ન લઇ ગયા તો, જો લઇ જતે ત્યારે જે રાગ વૃદ્ધિ પામતે, તે આ સંયમમાં નહિ પામે. એ અનુભવ કરવાથી બરાબર સમજાય એવું છે. - વાણી ઉપર સંયમ, કાબુ રાખવાથી થતા મીઠા લાભનો અનુભવ નથી ? કેટલીય વાર ગમ ખાધા પછી આનંદ થાય છે કે “હાશ ન બોલ્યો તો સારું થયું.” આનો અર્થ એ છે કે કર્મના નિર્ધારિત ઉદય ભલે આપણા કાબૂમાં નથી, પણ પુરુષાર્થ આપણા કાબૂની વસ્તુ છે. અસંયમ રોકવાનો પુરુષાર્થ આપણે અજમાવી શકીએ, તો એની મહેનત કેમ ન કરવી? એટલે વાત આ આવીને ઊભી રહે છે કે આપણા જ ઘાતક બને એવા રાગને “એ તો કર્મવશ થયા કરે છે, એવા બહાના હેઠળ પુષ્ટ ન કરીએ; ૦૦૦૦૦- ૦૦ ૫ ૧૫૬ ૨૦૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004962
Book TitleTarkna Tankna Shraddhanu Shilpa
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy