________________
એ તો જેમ ચિંતામણિએ ન ઇષ્ટ આપ્યું, ગરમીનું દાન કે પાક અગ્નિએ જ કર્યા, એમ સુખ-સતિ વગેરે અરિહંત જ આપે છે, એમ કહેવાય. એમ જ માનવું જોઇએ માટે તો ‘નમુન્થુર્ણ’ સૂત્રમાં ભગવાનને ‘અભયદાતા’-ચક્ષુદાતા-વગેરે કહીને સ્તવ્યા. સ્તવનોમાં ‘હે સુખકારી! સેવકને સુખ દીજિએ’, ‘તારક તું ભવિજીવને’ ... ‘તિહુઅણ ભવિયણ જનમન વંછિય પૂરણ !’ .... ‘જગચિંતામણિ જગનાહ’ ‘વિસહર વિસનિન્નાસં,... વગેરે વગેરે સ્તુતિ ક૨વામાં આવે છે, એમાં સીધું ભગવાનને જ સુખ કરનારા, સુખ દેનારા, તારનારા, મનવાંછિત પૂરનારા, જગતના ચિંતામણિ, વિષધરસર્પનું વિષ નષ્ટ કરનારા માનીને જ સંબોધ્યા-પ્રાર્થા-સ્તવ્યા. આ કોઇ ઔપચારિક ભાષા નથી. અસત્ય કથન નથી; નહિતર કહેનાર, મૃષાભાષી ઠરે ! કિન્તુ મુખ્ય ભાષા જ છે, સત્ય કથન છે.
આત્માનો વિચાર તો અંદરનો ભાવ છે, એને બાહ્ય આહારાદિની ૧૨૬ | પ્રવૃતિ બગાડી શકે ખરી ? અને જો બગાડે તો શી રીતે બગાડે ?
બગાડે આ રીતે કે આહારાદિની પ્રવૃત્તિ શું મડદાએ કરી, કે જીવંત આત્માએ કરી ? આત્માના કશા જ ભાવ વિના શું કાયા એમ જ પોતાની મેળે આહાર-વિષય વગેરેમાં પ્રવૃત્ત થઇ ? જમવા બેઠા ત્યાં
અંદરમાં ‘હું આહાર લઉં, પૂરીની સાથે પાણીને બદલે દૂધ લઉં ‘આવો મનથી ભેદ પાડયા વિના દૂધ-પૂરીનો સંયોગ કાયાએ શી રીતે કર્યો ? દૂધનો કટો૨ો ને પાણીનો કટોરો બેય પાસપાસે હતા, તો હાથે પૂરીનો કટકો દૂધમાં કેમ ઝબાળ્યો ? પાણીના કટોરામાં કેમ ન ઝબોળ્યો ? એ શું એકલા હાથ કે એકલી કાયાનું કામ છે ? એમ હોય તો તો મડદું કે મડદાનો હાથ કેમ કોળિયો ઊઠાવી ખાવા ન માંડે ? કહેવું જ પડે કે આત્મા જ હાથ કે કાયા દ્વારા એ કોળિયા ઊઠાવે છે, આત્મા જ મોમાં મૂકે છે, મોં દ્વારા આત્મા જ ચાવે છે, ને આત્મા જ ગળે ઊતારે છે. ચાવતાં ચાવતાં કદાચ હાર્ટફેઇલ થયું, દેહમાંથી આત્મા નીકળી ગયો, તો પછી એ ચાવવાનું ય બંધ અને ગળે ઊતારવાનું ય બંધ. આત્મા વિના એકલી કાયા-હાથ-મોંની શી ગુંજાશ કે કોળિયો ઉપાડવા
Jain Education International
૧૫૪
For Private & Personal Use Only
www.jainelibrary.org