________________
ક્ષયોપશમ, કે પુણ્યરૂપ શુભને ઊભું કરે છે.' આ શ્રદ્ધાથી કાયોત્સર્ગ કરાય એટલે એવા શુભના જોરે પુરુષાર્થ સુલભ અને સબળ બને છે.
આમ, ‘અરિહંત ચેઇયાણં' સૂત્રનો આ પણ એક ગંભીર ભાવ છે કે (૧) બોધિલાભ અને મોક્ષના પુરુષાર્થ ઉપરાંત આ શ્રદ્ધા ઊભી કરો કે ‘આ બેના નિમિત્તે કાયોત્સર્ગ ક૨વાથી ફળમાં એક અનુકૂળ શુભ ઊભું થાય છે કાયોત્સર્ગ નિષ્ફળ નથી.' વળી (૨) અનેક વાર આ નિમિત્તે કાયોત્સર્ગના પ્રયત્નમાં બોધિલાભની અત્યંત ઉપાદેયતા ધ્યાનમાં લાવો.
૧૨૫
જો ભગવાનનો જ પસાય હોય તો ભગવાનને ભજ્યા વિના ભગવાન એમ ને એમ જ સુખ ન આપી દે ?
ના. જુઓ, અગ્નિનો સ્વભાવ ગરમી આપવાનો છે, રસોઇ પકાવવાનો છે, પરંતુ તે અગ્નિથી દૂર રહ્યો નહિ, કિન્તુ અગ્નિને વિધિપૂર્વક સેવાય તો ગરમી મળે છે. એમ અહીં ભગવાન સુખ આપવાના સ્વભાવવાળા ખરા, પરંતુ એમને વિધિપૂર્વક સેવાય તો સુખ મળે તો જ પુણ્ય ઊભું થાય. એટલે,
અગ્નિના મૂળભૂત ગરમીના સ્વભાવની જેમ ભગવાનનો મૂળ સ્વભાવ સુખ આપવાનો, પણ સેવો તો.
ચિંતામણિનો સ્વભાવ છે, ઇષ્ટ આપવાનો; પરંતુ તે એને વિધિપૂર્વક સેવો તો જ આપે.
એ ઇષ્ટ ચિંતામણિએ ન આપ્યું. પણ ચિંતામણીની સાધનાએ કે સાધનાના આપણા પુરુષાર્થે આપ્યું' એવું ન કહેવાય. ‘ગરમીનું દાન કે પાક અગ્નિએ ન કર્યો, પરંતુ માણસની અગ્નિસેવાએ યા અગ્નિ સેવવાના પુરુષાર્થે કર્યો એમ ન કહેવાય. બસ, એવી રીતે સુખ-સતિ અરિહંતે ન આપ્યા પરંતુ માણસની સાધનાએ, સાધનાના પુરુષાર્થે, યા સાધના જન્મ પુણ્યે આપ્યા એમ ન કહેવાય.
Jain Education International
૧૫૩
For Private & Personal Use Only
www.jainelibrary.org