SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ માણસ ન માને કે ‘આ સાધના તો અરિહંતના પ્રભાવે કરી શકું છું ? (૭) કોઇ નોકરી રાખતું ન્હોતું, એમાં કોઇ શેઠે નોકરી રાખી લીધો, ને નોકર તનતોડ સેવા કરી મહિને મહિને પગાર મેળવે છે, એમાં પગાર તો પોતાની મજુરી અપાવે છે, છતાં એ એમાં શેઠનો ઉપકાર માને છે. કહે છે કે ‘શેઠની દયા છે કે આજીવિકા મળે છે.' એમ સાધનાની મહેનત આપણે કરીએ પરંતુ અરિહંતે કહેલી સાધના છે તેથી એનું ઊંચું ફળ મલે છે. તો એ સાધના કરવામાં અને ફળ મળવામાં અરિહંતનો ઉપકાર ન માનીએ ? (૮) મંત્ર-શબ્દ કશું કરતા દેખાતા નથી, છતાં એનાથી થતી સિદ્ધિમાં મંત્રનો જ ઉપકાર મનાય છે. એમ નવકારના પદ ભલે ગણવાની મહેનત આપણી, છતાં ફળ મળે એમાં નવકારનો ઉપકાર ન માનીએ ? પણ (૯) અદ્ભુત કુંડળ પત્નીને નહિ પણ કોઇ મહારાણીને પહેરાવતાં એનાં પર રાજા ખુશ થઇ કલ્પના બહારનું મોટું ઇનામ આપે, એમાં ઇનામ લેનાર કુંડલનો ઉપકાર માનશે ? કુંડળની શાબાશી માનશે ? રાજાનો ઉપકાર ને રાજાની શાબાશી માનશે ? એમ પ્રગટ ઇતરદેવને કે રાજાને નહિ, અરિહંતને ચડાવીને અથાગ પુણ્ય મળે છે. અનન્ય લાભ મળે એમાં શાબાશી કોની ? મુગટની ? મુગટ ચડવનારની ? કે અરિહંતની ? ભવાંતરે એ અથાગ પુણ્યના ઉદયમાં ઉત્તમ જૈન મનુષ્યભવ તથા અઢળક સંપત્તિ-સન્માન મળે, એ કોના ઉપકારથી ? મુગટના ઉપકારથી ? મુગટ ચડાવનારની પોતાની હોંશિયારીથી ? મુગટ જેને ચડાવ્યો એ અરિહંતના ઉપકારથી ? બસ, પરમાત્માને યા એમની આજ્ઞાને આપણા દિલમાં બેસાડી એમના આલંબને આપણે દર્શન-પૂજન, વ્રતમ-નિયમ, સ્વાધ્યાન ધ્યાન.... કર્યા અને એના પ્રતાપે ઉચ્ચ ફળ પામ્યા, ત્યાં પ્રભાવ-ઉપકાર-કરૂણા ભગવાનની જ ગણાય. ૧૧૮ પ્રભુની કરૂણા પામવી તે આપણા હાથની વાત છે ? કે પ્રભુના હાથની વાત ? Jain Education International ૧૪૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004962
Book TitleTarkna Tankna Shraddhanu Shilpa
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy