SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ શું કોઇના આત્મામાંથી જ્ઞાન દર્શન વગેરે કાઢીને બીજાના આત્મામાં પેસાડી શકાય છે? જગતમાં દ્રવ્યો સ્વતંત્ર છે અને તેના ગુણ-પર્યાયો ય સ્વતંત્ર છે. એમાંથી કાઢીને બીજામાં શી રીતે પેસાડી શકાય ? તો પછી કવિએ સંભવનાથ ભગવાનના સ્તવનમાં કેમ આ માગ્યું કે તમારા ખજાનામાંથી વાંછિત દાન આપો? દૂધમાં સાકર નાંખો તેમ સાકરની મિઠાશ દૂધને મળે છે ને ? એ રીતે પ્રભુની જ્ઞાન વગેરે સંપત્તિમાંથી આપણને કેમ ન મળે? પ્રશ્નઃ સાકર ભળવાથી દૂધમાં મિઠાશ લાગે છે તે અંદર એકમેક ભળેલા સાકરનાં કણિયાની મિઠાશ લાગે છે. એમાં સાકરના કણિયાની મિઠાશ દૂધનાં કણિયામાં ક્યાં આવી? ઉત્તર : એ રીતે આવી કે દ્રવ્યમાં ગુણનું પરિવર્તન થાય છે. એટલે દૂધમાં ફિકાશનો ગુણ હતો તે સાકરના યોગે પલટાઇને મિઠાશનો ગુણ થઇ ગયો માટે જ વ્યવહાર એવો થાય છે કે હવે દૂધ મીઠું થઇ ગયું. પણ એમ નથી કહેવાતું કે “અંદરની સાકર મીઠી લાગે છે, પણ દૂધ તો ફિક્યું લાગે છે.' બસ, આ રીતે જો પ્રભુની દયા થાય તો સાકરની જેમ પ્રભુ આપણા આત્મામાં એવા એકમેક એકરસ બની જાય કે આપણાં મિથ્યાત્વ-અજ્ઞાન-કષાયો વગેરે અસત્ ગુણો પલટાઇને સમ્યકત્વ-જ્ઞાન-ઉપશમ વગેરે સ્વરૂપ સદ્ગુણો બની જાય. આ હિસાબે કવિની માગણી છે કે તમારા ખજાને ગુણોની ખોટ નથી, તો પછી મને વાંછિત ગુણોનું દાન કરો. અર્થાતુ પ્રભુ ! મારી સાથે એવા એકરસ થઇ જાઓ કે મારામાં આપના ગુણોના સંપર્કથી દોષો પલટાઇને ગુણરૂપ બની જાય... પ્રશ્ન : દીજિએ વાંછિત દાન એમ કહીને કવિએ પ્રભુની આગળ વાંછિત માંગ્યું, તે શું માંગ્યા માત્રથી મળી જાય ? કે ખરેખર તો એનો પુરૂષાર્થ કરવો જોઇએ? ઉત્તર : શ્રી લલિતિવિસ્તરા શાસ્ત્રમાં લખ્યું છે કે પ્રાર્થનાતાવ રૂઈ-સિદ્ધિઃ' ૨૦૦૫ ૧૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004962
Book TitleTarkna Tankna Shraddhanu Shilpa
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy