________________
૧૧૬
શું કોઇના આત્મામાંથી જ્ઞાન દર્શન વગેરે કાઢીને બીજાના આત્મામાં પેસાડી શકાય છે? જગતમાં દ્રવ્યો સ્વતંત્ર છે અને તેના
ગુણ-પર્યાયો ય સ્વતંત્ર છે. એમાંથી કાઢીને બીજામાં શી રીતે પેસાડી શકાય ? તો પછી કવિએ સંભવનાથ ભગવાનના સ્તવનમાં કેમ આ માગ્યું કે તમારા ખજાનામાંથી વાંછિત દાન આપો?
દૂધમાં સાકર નાંખો તેમ સાકરની મિઠાશ દૂધને મળે છે ને ? એ રીતે પ્રભુની જ્ઞાન વગેરે સંપત્તિમાંથી આપણને કેમ ન મળે?
પ્રશ્નઃ સાકર ભળવાથી દૂધમાં મિઠાશ લાગે છે તે અંદર એકમેક ભળેલા સાકરનાં કણિયાની મિઠાશ લાગે છે. એમાં સાકરના કણિયાની મિઠાશ દૂધનાં કણિયામાં ક્યાં આવી? ઉત્તર : એ રીતે આવી કે દ્રવ્યમાં ગુણનું પરિવર્તન થાય છે. એટલે દૂધમાં ફિકાશનો ગુણ હતો તે સાકરના યોગે પલટાઇને મિઠાશનો ગુણ થઇ ગયો માટે જ વ્યવહાર એવો થાય છે કે હવે દૂધ મીઠું થઇ ગયું. પણ એમ નથી કહેવાતું કે “અંદરની સાકર મીઠી લાગે છે, પણ દૂધ તો ફિક્યું લાગે છે.' બસ, આ રીતે જો પ્રભુની દયા થાય તો સાકરની જેમ પ્રભુ આપણા આત્મામાં એવા એકમેક એકરસ બની જાય કે આપણાં મિથ્યાત્વ-અજ્ઞાન-કષાયો વગેરે અસત્ ગુણો પલટાઇને સમ્યકત્વ-જ્ઞાન-ઉપશમ વગેરે સ્વરૂપ સદ્ગુણો બની જાય. આ હિસાબે કવિની માગણી છે કે તમારા ખજાને ગુણોની ખોટ નથી, તો પછી મને વાંછિત ગુણોનું દાન કરો. અર્થાતુ પ્રભુ ! મારી સાથે એવા એકરસ થઇ જાઓ કે મારામાં આપના ગુણોના સંપર્કથી દોષો પલટાઇને ગુણરૂપ બની જાય...
પ્રશ્ન : દીજિએ વાંછિત દાન એમ કહીને કવિએ પ્રભુની આગળ વાંછિત માંગ્યું, તે શું માંગ્યા માત્રથી મળી જાય ? કે ખરેખર તો એનો પુરૂષાર્થ કરવો જોઇએ?
ઉત્તર : શ્રી લલિતિવિસ્તરા શાસ્ત્રમાં લખ્યું છે કે પ્રાર્થનાતાવ રૂઈ-સિદ્ધિઃ'
૨૦૦૫ ૧૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org