SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ પાછળના ગુણોનો ખપ જ નથી. જો વિદ્યાનો ખપ હોય છે તો વિદ્યાવાળાના સન્માન કરાય છે. તો પછી અહીં જો ગુણોનો ખપ હોય તો એ ગુણોવાળા પૂજ્ય પુરુષોના સેવા-સન્માન કેમ ન થાય ? સેવા સન્માન ન કરવા એ કર્મસત્તાનો ગુન્હો છે. કર્મસત્તાએ આ અમૂલ્ય માનવ દેહ આપ્યો છે એ ગુણોનો ખપ કરવા, ને એ માટે ગુણીના સન્માન કરવા માટે. હવે જો એ ન કરીએ, તો કર્મસત્તાના ગુન્હેગાર છીએ, ને એ ગુન્હાની સજા દુર્ગતિઓની જેલ છે. (૨) સેવાની વાત આવે ત્યાં હાડકાં હરામ કરવા એ, આપણી આફત વખતે કોઇ સેવા સહાયમાં ન આવે એની નોટિસ છે. માનવ શરીર આરામ માટે નહિ. પણ કામ માટે મળ્યું છે, એ હંમેશા યાદ અને વારે વારે યાદ રાખવા જેવું છે, જેથી કમમાં કમ નવરાશનો સમય ધર્મકાર્યોમાં કામે લગાડાય. એમાંય પૂજ્યોની પૂજા સેવા-સન્માન કરવાના અવસરે આરામ વ્હાલો કરે, શરીરની સુખશીલતા હાલી કરે, કર્મસત્તા અને દુર્ગતિઓમાં દીર્ઘ અશાતા દેખાડે છે. એથી ઊલટું પૂજ્યોની સેવા-ભક્તિ-સન્માન કરનારો પરભવે દીર્ધાતિદીર્ઘ કાળ મહાશાતા પામે છે ! માટે હંમેશા સેવા વૈયાવચ્ચ વગેરેમાં હાડકાં સાજાં રાખો; ઝટ ઊભા થઈ સેવામાં લાગો. એની ટેવ પાડતાં જરાક કઠિનાઈ લાગશે, પણ પછી એની ટેવ પડી જશે એટલે શરીર સેવાનાં કાર્યમાં એરોપ્લેનની જેમ કામ કરશે. (૩) યોગ્યની સેવા ચૂકવાથી સ્વાર્થમાયામાં રમવાનું થાય છે. આ દુનિયામાં ભૂંડામાં ભૂંડી છે સ્વાર્થમાયા. એ આગ વધીને કરપીણ ગોઝારા કામ કરાવે છે. ચૂલણીને પતિ મરી ગયે વાસના પોષવાની સ્વાર્થમાયા લાગી, તો સગા પેટના દીકરા બ્રહ્મદત્તનું ઘર સળગાવી એમાં જીવતો બળી મરે એવો એણે પેતરો કર્યો ! સેવાના વ્યસનથી આ ગોઝારા સ્વાર્થમાયા પર કાપ પડે છે. સેવા અને સ્વાર્થમાયા સ્વર્ગ-નરક જેવા છે. સેવા એ સ્વર્ગ છે. સ્વાર્થમાયા એ નરક છે. ૧૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004962
Book TitleTarkna Tankna Shraddhanu Shilpa
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy