________________
૧૧૪
જાના વખતે કાંઇ છુટાછેડાની કોર્ટ ન હતી, તેથી પતિ મારવાનો વિચાર કરે છે. તો એની અપેક્ષાએ આજની ડાયવોર્સ કોર્ટની પદ્ધતિ સારી ને ?
શું સારી ? જીવતી મારી નાંખવાનું તો કદાચ હજાર દસહજારે એકાદ માણસ કરે; પરંતુ જો છુટાછેડાની પદ્ધતિ કાયદેસર ચાલુ થઇ, તો ઘે૨ઘે૨ એ વસ્તુ બનવા માંડે એનું શું ? મારવાની બુદ્ધિમાં તો કુલવટ, કાયદો વગેરે આડે આવે છે. પણ છુટાછેડામાં શું આડે આવવાનું હતું ? છુટા છેડામાં, ખરી રીતે, એ વિચારો કે અંદરખાને વિષયલંપટતા કેવી જોર કરી રહી છે ! અને એનું આગળ કેટલું ભયાનક પરિણામ આવવાનું.
મહર્ષિઓની ઉક્તિ છે, - 'पूज्यपूजाव्यतिक्रमो महापाताय जायते'
અર્થાત્ ‘પૂજા-સન્માનને યોગ્ય મહાપુરુષોની પૂજાનો લોપ કરો, એ મહાપતન માટે થાય છે.' અહીં સવાલ થાય કે, પુજ્યની પૂજા સન્માન કરીએ તો લાભ મળે, ન કરીએ તો લાભ ન મળે, પણ નુકસાન શી રીતે ?
૧૧૫
પૂજ્યની પૂજાનો લોપ કરવામાં (૧) પૂજ્યની પૂજ્યતાની Om અવગણના થાય છે; (૨) હરામ હાડકાપણાંનો દોષ પોષાય છે, (૩) સ્વાર્થાંધતાની સંસારની જડ મજબૂત થાય છે. આ ત્રણે ય ગુન્હા એવા ભયંકર છે કે કર્મસત્તા એની સજામાં જીવને દુર્ગતિઓની જેલમાં પૂરી દે છે.
જીવ અત્યાર સુધી સંસારમાં કેમ રખડતો રહ્યો છે ? કહો, (૧) સારી વસ્તુના અવમૂલ્યાંકનથી.
(૨) કર્તવ્ય બજાવવામાં હાડકાં હરામ કરવાથી
(૩) પરાર્થ ભૂલી સ્વાર્થમાં અંધ બનવાથી.
માનનીય અને પૂજનીય મહાપુરુષોની પૂજનીયતાની અવગણના ક૨વી એનો અર્થ જ એ છે કે પોતાને પોતાના જીવનમાં એવા પૂજનીયતા
૧૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org